ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા ભોજદે ગામે ગીર શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ઘેડ વિસ્તારમાં ઘણા સમયથી ધેડ સામાજીક વિકાસ સમિતિ શૈક્ષણિક, આરોગ્ય, પ્રાકૃતિક ખેતી,વ્યસનમુક્તિ જેવા કાર્ય અન્વયે કામ કરી રહી છે,જેમાં દર વર્ષે આયોજિત કાર્યક્રમ જેવા કે ખેલોત્સવ,વિદ્યાર્થી સન્માન સમારોહ, વ્યસનમુક્તિ અભિયાન સજીવ અને ઓર્ગેનિક ખેતી છે,આ વખતે દર વર્ષની જેમ ગીર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગીર વિસ્તારના ભોજદે ગામ મુકામે રમણીય વાતાવરણમાં કુદરતના ખોળે રાખવામાં આવ્યું હતુ તેમાં ઘેડ વિકાસ સમિતિના સભ્યો લીલાભાઈ પરમાર, વડીલો, રાજુભાઈ ઓડેદરા અને નાથાભાઈ આગઠ જુનાગઢના તાલુકા વિકાસ અધિકારી રાણાભાઇ ઓડેદરા તેમજ મહેર શક્તિ સેના પ્રમુખ કરસનભાઈ ઓડેદરા, કોટડાથી રાજુભાઈ સુતરેજા અને કાનભાઈ સરપંચ સુતરેજ, નાગેશભાઈ પરમાર વિજયભાઈ ઓડેદરા કુતિયાણા થી સરમણભાઇ રાતડીયા રાણાવાવથી રામદેવભાઈ ટીંબા,કેશોદથી રાજશીભાઈ વદર, ચાંદીગઢથી રમણભાઈ બાપોદરા અને ડો.ભરતભાઈ ચૌહાણ પોરબંદરથી ડો. ભરતભાઈ આગઠ બિલેશ્વરથી વિરમભાઇ પરમાર, ભરતભાઈ પરમાર, હરદાસભાઇ ઓડેદરા, ગોરસરથી અને બચુભાઈ આંત્રોલીયા ઉપપ્રમુખ મહેર સુપ્રીમ કાઉન્સિલ અને લીલાભાઈ કડછા રાજકોટથી મહત્તમ સભ્યો જોડાઈ ઘેડ વિકાસ સમિતિના સામાજિક યશસ્વી કાર્યને આગળ ધપાવવા અને ઘેડ વિસ્તારમાં મહત્તમ સાક્ષરતા સામાજિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે થાય તે બાબતે ગહન અને વિસદ ચર્ચા કરવામાં આવી શિક્ષણવિદો અને સમાજસેવીઓએ સમાજના વિકાસ માટે પોતાના મંતવ્યો આપ્યા ઘેડ વિકાસ સમિતિ પોતાના પાયાના મુલ્યોની અને મુળભુત સિદ્ધાંતો ઘેડના છેવાડાના માનવી સુધી પહોંચે સારી રીતે કાર્ય કરી શકે તેવા સંકલ્પ સાથે ત્રણ દિવસ સુધી ખુબ જ આનંદથી શિબિરમાં કાર્ય થયું, પ્રકૃતિ અને મનને ખુબ જ આનંદ મળે એ પ્રવૃત્તિ સાથે શિબિરનું સમાપન પણ શ્રી મનીષાનંદ ગીરીજીના આશ્રમ ગુંદાળા ખાતે સંતવાણી અને સંગીત સંધ્યા સાથે કરવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech