બારા ગામે ઘ્વજબંધ મહામંડપ મહોત્સવ

  • May 05, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયાથી 12 કિ.મી. દુર આવેલા બારા ગામે શ્રી જમુનેશ મહાપ્રભુજીની બેઠક આવેલછે. ત્યાં તા.10-5-23 તથા 11-5-23 બે દિવસ શ્રી ઘ્વજ બંધ મહા મંડપ મહોત્સવ રાવલ વારા પ્રભુદાસ રણછોડદાસ હિન્ડોચા પરિવાર દ્વારા યોજવામાં આવેલ છે.


જેમાં તા.10ના સાંજે 6 વાગ્યે સામૈયા થશે. તેમજ તા.11ના મહાપ્રસાદનું ભવ્ય આયોજન  તેમજ રાત્રીના ઢાઢીલીલાનું આયોજન છે. જે ગોપાલ સંપ્રદાયમાં શ્રદ્ધા રાખતા સમગ્ર ગુજરાતમાં પથરાયેલા હજારો અનુયાયીઓ આ ધાર્મિક મેળાવડામાં હાજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application