કેશોદ-માણાવદર વિધાનસભાની ચૂંટણી કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વર ટી.એન.વેંકટેશ

  • May 01, 2024 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૧-પોરબંદર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કેશોદ અને માણાવદર વિધાનસભા મતવિસ્તાર ઉપરાંત માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે જનરલ ઓબ્ઝર્વર ટી.એન. વેંકટેશે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી. આ સો જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એમસીએમસી હેઠળના મીડિયા સેન્ટર અને સી-વિજીલ કંટ્રોલ રૂમની મુલાકાત કરી જરૂરી વિગતો મેળવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવાસિયાએ કેશોદ અને માણાવદર વિધાનસભા મતવિસ્તારની સો ૮૫-માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પૂર્વ તૈયારીઓ અને પૂર્ણ કરાયેલ કામગીરી વિશે વિગતવાર જાણકારી આપી હતી. ભારે ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મકો પર મતદારો માટે પીવાના પાણી, છાયડો ઉપરાંત આરોગ્ય સેવાની જાણકારી આપી હતી. આ સો ચૂંટણી ઓળખકાર્ડ-વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વિતરણ સહિતની કામગીરીી અવગત કરાવ્યા હતા.

બેઠક પૂર્ણ યા બાદ  ટી. એન. વેંકટેશે એમસીએમસી હેઠળ કાર્યરત મીડિયા સેન્ટરની મુલાકાત કરી કરી હતી. તેમણે ખાસ કરીને મીડિયા મોનિટરિંગ માટે વ્યવસની જાણકારી મેળવી હતી. અંતે સી-વિઝિલ કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન ફરિયાદોના નિરાકરણ માટે કાર્યવાહી સંદર્ભે જરૂરી ચર્ચા કરી હતી અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ સહિતના અધિકારી ઉપસ્તિ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application