જોડિયા ખાતે ગીતા જ્યંતી મહોત્સવનું આયોજન

  • December 16, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપુ રહેશે ઉપસ્થિત


જોડિયા : જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ - શ્રી ગીતા વિધાલય " ધર્મક્ષ્રેત્ર " ખાતે સંસ્થાની પ્રતિવાર્ષિકી પરંપરાનુસાર પુ શ્રી વિરાગમુનિ સ્થાપિત શ્રી ગીતા વિધાલય ખાતે પ, પૂજ્યશ્રી મોરારીબાપુના પાવન સાનિધ્યમાં ( ૪૯ મો શ્રી ગીતા જ્યંતી મહોત્સવ ) ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાશે.


આગામી તારીખ : ૨૧/૧૨/૨૩ ને ગુરૂવારના રોજ સવારે ૯ : ૦૦ થી ૧૨ : ૦૦ તથા સાંજે ૪ : ૦૦ થી ૭ : ૦૦ સંતો, કથાકારો દ્વારા સત્સંગ તથા પ્રવચન તૅમજ તારીખ : ૨૨/૧૨/૨૩ ને શુક્રવારના માગસુર એકાદશીને ગીતા જ્યંતીના યુગ પર્વે સવારે ૯ : ૩૦ વાગ્યાથી પ, પૂજ્ય મોરારીબાપુ મંગલ ગીતા સંદેશ પ્રવચન આપી કૃતાર્થ કરશે.


શ્રી ગીતા જ્યંતી મહોત્સવ દરમ્યાન સવારે એવમ વિશ્વ કલ્યાણ એવમ હરી પ્રસ્નનતાથેં ગીતા વિધાલયના બાળકો તથા ભાવિકો દ્વારા સામુહિકમાં હોમાત્મક પાઠ અનુષ્ઠાન થશે આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે ઉત્સવમાં સર્વે ભાવિક, ભક્તજનોને લાભ લેવા શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ તથા શ્રી ગીતા વિધાલય પરિવાર જોડિયાધામ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application