પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌમાતાને પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરના સમય ગ્રુપ દ્વારા પશુઓની જઠરાગ્ની ઠારવાના સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ,પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં ગૃપના યુવાનો દ્વારા ગૌમાતાઓને ૨૫૧ કિલો પૌષ્ટિક આહારપે ખોળ અને શ્વાનોને બિસ્કીટ ખવડાવવામાં આવ્યા હતા.ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારમાં ગૌમાતાઓ માટે પૌષ્ટિક આહાર અને શ્વાનોને બિસ્કીટ ખવડાવવામાં આવ્યા હતા સરકારી હોસ્પિટલના પાછળના વિસ્તારમાં, વાડિયા રોડ આસપાસ,ખાખચોક વિસ્તારમાં,રેલ્વે સ્ટેશન રોડ, બિરલા હોલ ની આજુબાજુમાં, ધોબી સમાજની વંડી આસપાસ, પેરેડાઇઝ ફુવારા આસ પાસ,આશા હોસ્પિટલ ની સામેના વિસ્તારમાં, ચમ સ્કૂલની બાજુમાં, ખીચડી પ્લોટ પાસે, સત્યનારાયણ મંદિરથી કમલાબાગ વિસ્તારમાં,જડેશ્વર મંદિરની સામેના ભાગમાં, રિવરફ્રન્ટની સામે,નરસંગ ટેકરી આસપાસ વિસ્તારમાં,આશાપુરા ચોકડી પાસે, રાજીવનગર આસપાસના વિસ્તારમાં ગૌમાતાઓ માટે પૌષ્ટિક આહાર ખોળ અને શ્વાનોને બિસ્કીટ ખવડાવવામાં આવ્યા હતા, ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેક સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે,રાત્રે બાર વાગ્યાથી વહેલી સવારે પાંચ વાગ્યા સુધીની આ અમુલ્ય સેવાને નગરજનોએ બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application25 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સની ટક્કર, અમદાવાદમાં ખેલાડીઓનું સ્વાગત
March 22, 2025 10:45 PMકચ્છમાં હિટ એન્ડ રનની દર્દનાક ઘટના, બે મિત્રોએ જીવ ગુમાવ્યા
March 22, 2025 10:43 PMઅમદાવાદ મેટ્રોનો સમય બદલાયો, મોટેરા સ્ટેડિયમમાં IPL મેચોને કારણે નિર્ણય
March 22, 2025 10:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech