ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ, 22 જૂને તેની મીટિંગમાં, ટેક્સ અપીલ ફાઇલ કરતા પહેલા જમા કરાવવાની જરૂરી અપફ્રન્ટ પેમેન્ટને હવે 10% થી ઘટાડીને 7% કરવા માટેના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે તેમ ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે.કાઉન્સિલ જીએસટી પહેલાની વ્યવસ્થાના વિવાદો માટે એક એમનેસ્ટી યોજના અને જીએસટીનોંધણી કરાવવા ઇચ્છતા વ્યક્તિઓ માટે બાયોમેટ્રિક-આધારિત આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવાની દરખાસ્ત પર પણ વિચાર કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાઉન્સિલ દ્વારા મંજૂર કરવામાં આવતાં માફી યોજનાની જાહેરાત બજેટમાં કરવામાં આવી શકે છે. વચગાળાના બજેટમાં નાણામંત્રીએ 25,000 સુધીના નાના ડાયરેક્ટ ટેક્સ વિવાદો માટે માફીની જાહેરાત કરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે જોકે રાજ્યો અને કેન્દ્ર જીએસટી પૂર્વેના વિવાદો માટે માફી યોજનાનો અમલ કરી શકે છે, કાઉન્સિલમાં ચચર્િ યોજનાના અમલીકરણમાં એકરૂપતા લાવવામાં મદદ કરશે. ભૂતકાળમાં રાજ્યોએ રાજ્યના કર માટે માફી યોજનાઓ બહાર પાડી છે. ટેક્સ એક્સપર્ટ સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે, વ્યવસાયો જીએસટી કાઉન્સિલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણથી ઉદ્ભવતા ટેક્સ વિવાદોને દૂર કરવા માટે એમ્નેસ્ટી સ્કીમને પ્રાથમિકતા આપવા વિનંતી કરી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ માફી વ્યવસાયોને ભારે દંડ વિના ભૂતકાળના કર મુદ્દાઓનું સમાધાન કરવાની તક પૂરી પાડશે અને અદાલતો પરનો બોજ ઘટાડશે. કાઉન્સિલ એવા કેસોમાં પ્રી-ડિપોઝીટની મોડલિટી પણ તપાસી શકે છે કે જ્યાં ઉદ્યોગે ટેક્સ ડિમાન્ડની હરીફાઈ કરતા પહેલા કેટલીક ડિપોઝિટ કરી છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વ્યવસાય કરવાની સરળતાને સુધારવા અને તે જ સમયે, જોખમી કરદાતાઓ માટે સ્ક્રુટિની પ્રક્રિયાને વધુ વધારવા માટે ઘણા નિર્ણયો લેવાશે.
અધિકારીએ ઉમેર્યું હતું કે હવે બાયોમેટ્રિક આધારિત આધાર પ્રમાણીકરણ પ્રાયોગિક ધોરણે ગુજરાત અને આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં સફળતાપૂર્વક ચાલી રહ્યું છે, કાઉન્સિલ તેને સમગ્ર ભારતમાં શંકાસ્પદ અને ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓ માટે જીએસટીનોંધણી માટે ફરજિયાત બનાવવાનું વિચારી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech