નકલી જીએસટી રિફડં અને ઇનપુટ ટેકસ ક્રેડિટનો દાવો કરનારાઓ સામે સરકાર કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર જીએસટી રિટર્ન ફોર્મમાં સુધારા કે સુધારા કરવાની સુવિધા પાછી ખેંચી શકે છે. આ સુધારા સુવિધાના મોટા પાયે દુપયોગના કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવશે. તાજેતરમાં જ જીએસટીમાં છેતરપિંડીની તપાસ કરતી એજન્સીઓને આ મામલાઓની જાણકારી મળી છે.
નોંધનીય છે કે આ એજન્સીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં પિયા ૧૮ હજાર કરોડના ૧,૭૦૦ નકલી આઈટીસી કેસ શોધી કાઢા છે. આ મામલે ૯૮ છેતરપિંડી કરનારાઓની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિભાગે હાઈ ટેક ઉપકરણોની મદદથી ડેટા રીસર્ચ કરીને કરચોરી શોધી આ મામલાઓને ઉકેલ્યા છે.
પ્રા માહિતી અનુસાર, છેલ્લા ઘણા વર્ષેાથી, ઉધોગપતિઓ આવકવેરા વિભાગની તર્જ પર જીએસટી રિટર્નને રિવાઇઝ અને રિ–ફાઈલ કરવાની સુવિધાની માંગ કરી રહ્યા છે. સરકાર આ અંગે પણ વિચારણા કરી રહી છે, પરંતુ રિટર્ન રિવાઇઝ કરવાની નાની સુવિધાને જોતાં, જીએસટી ચોરી કરનારાઓ દ્રારા જે રીતે તેનો મોટા પાયે દુપયોગ કરવામાં આવ્યો હતો, હવે પ્રામાણિકપણે જીએસટી ભરતા વેપારીઓને તેનો ભોગ બનવું પડી શકે છે.
જીએસટી રિટર્ન ફાઈલ કર્યા પછી તેમાં સુધારો કોઈ સુવિધા નથી પરંતુ તેનાથી વેપારીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે જીએસટી રિટર્ન ફોર્મ–૧માં થોડો સમય સુધારો કર્યેા છે અને જીએસટી રિટર્ન ફોર્મ ૩બીમાં ઇનપુટ ટેકસ ક્રેડિટના દાવાને સંશોધિત કરવાની સુવિધા રજૂ કરી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં જીએસટી રિટર્ન રિવાઇઝ કરવાની સુવિધા બધં કરી શકે છે. જો કે ટેકસ નિષ્ણાતોનું કહેવું છે કે આ સુવિધા બધં થવાથી વેપારીઓની મુશ્કેલીમાં વધારો થશે.
સરકાર ગયા વર્ષના મે મહિનાથી જીએસટી ચોરી સામે મોટું અભિયાન ચલાવી રહી છે. તપાસમાં અત્યાર સુધીમાં . ૪૪ હજાર કરોડથી વધુની જીએસટી ચોરી બહાર આવી છે. તેમજ ૨૯,૨૭૩ બોગસ કંપનીઓ શોધી કાઢવામાં આવી છે, જેના દ્રારા નકલી જીએસટી બિલ બનાવીને જીએસટીની ઉચાપત કરવામાં આવી હતી. આ અભિયાનમાં ૧૨૧ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. કરચોરીના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર્રમાં નોંધાયા હતા (૨,૭૧૬). તે પછી ગુજરાત (૨,૫૮૯), હરિયાણા (૧,૧૨૩) અને પશ્ચિમ બંગાળ (૧,૦૯૮) છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને રાજ્ય સરકારે આપી બહાલી
May 15, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech