સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજય સરકાર દ્રારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓકટોબર ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાતપાત્ર યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ના સમયગાળામાં યુલ સરચાર્જનો દર . ૨.૮૫થી ઘટાડીને . ૨.૪૫ પ્રતિ યુનિટના દરની વસૂલાત કરાશે. તેમ આજે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.
ગુજરાત વીજ નિયમન આયોગ દ્રારા મંજૂર કરાયેલ ફયુઅલ સરચાર્જની ફોમ્ર્યુલા મુજબ એપ્રિલ–૨૦૨૪ થી સપ્ટેમ્બર ૨૦૨૪ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાય હસ્તકની વીજ વિતરણ કંપની દ્રારા ગ્રાહકો પાસેથી ૨.૮૫ પિયા પ્રતિ યુનિટનો યુઅલ સરચાર્જ (એફપીપીપીએ)ની વસૂલાત કરવામાં આવતી હતી.
વધુમાં ઊર્જા મંત્રીએ કહ્યું કે, ઓકટોબર–૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન પણ ૨.૮૫ પિયા પ્રતિ યુનિટના દરે યુઅલ સરચાર્જ (એફપીપીપીએ)ની વસૂલાત કરવામાં આવે છે. રાય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્રારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે.
કનું દેસાઈએ વધુ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઈ, રાય સરકાર દ્રારા ગ્રાહકોના વિશાળ હિતમાં યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. ૦૧–૧૦–૨૦૨૪થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો લાભ થશે
૧.૭૫ કરોડ ગ્રાહકોને ૧૧૨૦ કરોડ રૂપિયાનો લાભ થશે
ઊર્જામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાયના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે ૧૧૨૦ કરોડ પિયાનો લાભ થશે. રહેણાંકીય ગ્રાહકો દ્રારા માસિક ૧૦૦ યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે ૫૦ થી ૬૦ પિયાની માસિક બચત થશે.
મોંઘવારીના પ્રમાણમાં બહુ મોટો ફાયદો ગણી શકાય નહીં
રાય સરકારનો દાવો છે કે, ગ્રાહકોના હિતમાં યુલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો ઘટાડો કર્યેા છે. જે મુજબ પહેલી ઓકટોબર ૨૦૨૪થી પ્રવર્તમાન ત્રિમાસિક ગાળામાં કરેલા વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો લાભ થશે. જો કે, સામાન્ય લોકોનું કહેવું છે કે, આ ગ્રાહકોના હિતના દાવા પોકળ છે, ૪૦ પૈસાનો ઘટાડો મોંઘવારીથી પીડાતી પ્રજાની મજાકથી વિશેષ કશું નથી. ૧૦૦ યુનિટ વાપરનારને ૪૦ રૂપિયાનો અને ૨૦૦ યુનિટ વાપરનારને ૮૦ રૂપિયાનો ફાયદો મોંઘવારીના પ્રમાણમાં બહત્પ મોટો ગણી શકાય નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech