આવતા વર્ષથી ધો.૧૦–૧૨ની પરીક્ષા બે વખત આપી શકાશે

  • February 20, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરણ ૧૦ અને ૧૨ના વિધાર્થીઓની આગામી સત્ર એટલે કે ૨૦૨૫–૨૬થી બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવામાં આવશે. પરીક્ષામાં બે વાર હાજર રહેવાના કિસ્સામાં, ફકત તેમનો શ્રે સ્કોર અંતિમ ગણવામાં આવશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં બે વખત બોર્ડ પરીક્ષાની જાહેરાત કરી હતી. થોડા સમય પહેલા, એક ઇન્ટરવ્યુમાં, તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઇચ્છે તે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ હશે. જો તેઓ પરીક્ષા આપવા માંગતા હોય તો એકવાર આપો, જો તેઓ બે વખત પરીક્ષા આપવા માંગતા હોય તો બે વખત આપો. જો તમે એકવાર પરીક્ષા આપીને સંતુષ્ટ્ર હોવ તો બીજી વાર પરીક્ષામાં બેસશો નહીં.

નવા અભ્યાસક્રમ ફ્રેમવર્કમાં ગયા વર્ષે જાહેરાત કરવામાં આવી હતી કે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે જેથી વિધાર્થીઓને પરીક્ષામાં સારો દેખાવ કરવાની પૂરતી તક અને સમય મળે. તેઓ તેમનો શ્રે સ્કોર રાખી શકે છે. શિક્ષણ મંત્રી છત્તીસગઢમાં પીએમ શ્રી યોજનાના ઉધ્ઘાટન પ્રસંગે એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

બે વાર બોર્ડની પરીક્ષા લેવાનો એકમાત્ર હેતુ બાળકો પર પરીક્ષાનો તણાવ ઓછો કરવાનો
વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવાનો એકમાત્ર હેતુ બાળકો પર પરીક્ષાનો તણાવ ઓછો કરવાનો છે. જો તેઓ પરીક્ષા દરમિયાન તૈયારી ન અનુભવે તો તેઓ પરીક્ષા છોડી શકે છે. આ સાથે, જો એકવાર પેપર સારા ન હોય અથવા તેમને લાગે કે તેઓ વધુ સાં કરી શકે છે તો તેઓ ફરીથી મળેલી તકનો લાભ લઈ શકે છે. આ અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાષ્ટ્ર્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો એક ધ્યેય વિધાર્થીઓ પરના તણાવને ઓછો કરવાનો છે. આ અંતર્ગત આગામી સત્ર એટલે કે વર્ષ ૨૦૨૫–૨૬થી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application