મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) એ વિધાનસભા ચૂંટણી 2024 પહેલા એક મોટી યોજના બહાર પાડી છે. એમએસઆરટીસીના અધ્યક્ષ ભરત ગોગાવલેના જણાવ્યા અનુસાર એર હોસ્ટેસની તર્જ પર, 'શિવનેરી સુંદરી' હવે મુંબઈ-પુણે રૂટ પર ચાલતી એસટીની ઈ-શિવનેરી બસોમાં તૈનાત કરવામાં આવશે. જે યાત્રીઓને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સેવાઓ પૂરી પાડશે.
મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે રૂટ પર ચાલતી ઈ-શિવનેરી બસમાં નિયુક્ત 'શિવનેરી સુંદરી' મુસાફરોને કોઈપણ ચાર્જ વિના ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડશે. ભરત ગોગાવલેની અધ્યક્ષતામાં MSRTCની 304મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબઈ-પુણે રૂટ પર ચાલતી ઈ-શિવનેરી બસોમાં મુસાફરોને થતી પરેશાની માંથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
MSRTC ની યોજના શું છે?
મહારાષ્ટ્ર સરકાર એક સ્કીમ લઈને આવી છે, જે અંતર્ગત મુંબઈ અને પૂણે વચ્ચે લગભગ ચાર કલાકની મુસાફરી દરમિયાન ઈ-બસમાં શિવનેરી સુંદરીઓની નિમણૂક કરવામાં આવશે. 'શિવનેરી સુંદરી' મુસાફરોને તમામ પ્રકારની માહિતી આપવાનું કામ કરશે. આ ઉપરાંત શિવનેરી સુંદરી લોકોના સૂચનો લેશે અને પાણી, અખબાર અને મેગેઝીન જેવી જરૂરી સુવિધા પણ આપશે.
ઈ-શિવનેરી બસો પ્રાથમિક સારવાર અને મેડિકલ કીટ જેવી સુવિધાઓથી પણ સજ્જ હશે. જેથી કરીને જરૂર પડ્યે મુસાફરોને પ્રાથમિક તબીબી સુવિધાઓ પૂરી પાડવાનું શક્ય બને.
343 બસ સ્ટેશન પર 'આણંદ આરોગ્ય કેન્દ્રો' બનાવવામાં આવશે
સીએમ એકનાથ શિંદે સ્વ. આનંદ દિઘેની સ્મૃતિમાં રાજ્ય પરિવહનના 343 બસ સ્ટેશનો પર 'આણંદ આરોગ્ય કેન્દ્ર' નામનું દવાખાનું શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ દવાખાનાઓ દ્વારા માત્ર બસના મુસાફરોને જ નહીં પરંતુ નજીકના લોકોને પણ સસ્તા ભાવે દવાઓ પૂરી પાડવામાં આવશે. લોકો અહીં ઓછા ભાવે તેમના ટેસ્ટ પણ કરાવી શકશે. દરેક બસ સ્ટેન્ડ પર દવાખાના માટે 400 થી 500 ચોરસ ફૂટ જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આણંદ આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ ચેકઅપ ડિસ્પેન્સરી, પેથોલોજી લેબ અને દવાની દુકાન શરૂ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસમાં જોડાતા જ અશોક તંવરે ભાજપનું ટેન્શન વધાર્યું
October 03, 2024 05:58 PMએક કૉલ, સમસ્યા હલ! મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમ અજિત પવારે બારામતીમાં 'પંચ શક્તિ'ની જાહેરાત કરી
October 03, 2024 05:45 PMઆ ફળ ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ , દૈનિક આહારમાં કરો સામેલ
October 03, 2024 05:14 PMમાતાજીના ગરબા રાત્રે જ કેમ રાખવામાં આવે છે?
October 03, 2024 05:14 PMઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ: વ્યક્તિ બેઠા બેઠા બન્યો કરોડપતિ
October 03, 2024 05:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech