રક્ષા બંધનના દિવસે બહેનોને સિટીબસ–બીઆરટીએસમાં મફત મુસાફરી

  • August 17, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે બી.આર.ટી.એસ. ટ પર કાર્યરત બસ સેવા તથા શહેરમાં કાર્યરત સિટી બસ સેવા બહેનો–મહિલાઓ માટે નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે.
વિશેષમાં મેયર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કાર્યરત સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો–મહિલાઓ માટે નિ:શુલ્ક રહેશે. મહાનગરપાલિકા દ્રારા દર વર્ષની પરંપરા મુજબ જ તા.૧૯–૮–૨૦૨૪ને સોમવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવા બહેનોમહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપે છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ ટ પર, ગમે તેટલી વખત ફકત બહેનોમહિલાઓ નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જયારે પુષોએ મુસાફરી દરમ્યાન રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે બી.આર.ટી.એસ. બસ તથા સિટી બસની નિ:શુલ્ક સેવાની અનોખી ભેટનો મહતમ લાભ લેવા બહેનોમહિલાઓને ખાસ અપીલ કરવામાં આવે છે અને રક્ષાબંધનના પવિત્ર તહેવારની શુભેચ્છા પાઠવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application