ભગવાન શ્રી રામના આદર્શોથી આજની યુવા પેઢી તેમજ બાળકો અવગત થાય અને પોતાના જીવનમાં અમલમાં મૂકે તેવા હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ પાસે ‘રામવન-ધ અર્બન ફોરેસ્ટ’ બનાવવામાં આવ્યું છે. તેમાં આગામી તા.૩૦/૦૩/૨૦૨૩ના રોજ રામનવમીના દિવસે ૧૨ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો તથા સીનીયર સિટીઝનો માટે રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, ‘રામવન-ધ અર્બન ફોરેસ્ટ’ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ નજીક ૪૭ એકર જમીનમાં અંદાજિત રૂ.૧૩.૭૭ કરોડના ખર્ચે મર્યાદાપુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનચરિત્ર, મૂલ્યો અને આદર્શો દર્શાવતું સમગ્ર ભારતભરનું પ્રથમ ઐતિહાસિક અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે.
રામવનના નિર્માણ અંગેનો મુખ્ય હેતુ ભારતનો સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસો જાળવી રાખવાનો છે, તેમજ અત્યારના સમયમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે. જેનો મુખ્ય દરવાજો ધનુષબાણ આકારનો છે અને ભગવાનશ્રી રામના જીવનકવનને જીવંત કરવાનો પ્રયત્ન કરાયો છે. આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, ૧૫૦ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. તેમજ ભગવાન શ્રી રામના જીવન આધારીત જુદી જુદી ૨૨ પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે. તો આગામી રામ નવમીના દિવશે શહેરના નગરજનોએ ખાસ કરીને બાળકો તથા સીનીયર સિટીઝનોને બહોળી સંખ્યામાં મુલાકાત લેવા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલએ અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચહેરા પર લસણ ઘસવાનો ટ્રેન્ડ ઈન્સ્ટાગ્રામ પર થઈ રહ્યો છે વાયરલ, જાણો શું છે તેના ફાયદા અને ગેરફાયદા
September 20, 2024 03:08 PMવૃન્દાવન રાસોત્સવ-૨૦૨૪ માટે આયોજકોએ લોહાણા સમાજને આપ્યો લાગણીભીનો સંદેશ
September 20, 2024 03:04 PMકુશ વિના તર્પણ કરવાથી થઇ શકે છે અપશુકન, જાણો આ પાછળની માન્યતા
September 20, 2024 03:02 PMશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PM'સ્ત્રી 2'ના 'આઈ નહીં'ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ,કોર્ટમાં રજુ કરાશે
September 20, 2024 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech