પોરબંદરમાં શ્રી મારૂતિનંદન સેવા ટ્રસ્ટ દ્વારા અબોટી બ્રાહ્મણ સમાજના જરિયાતમંદ પરિવારોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાનું વતન પોરબંદર છે અને તેમના દ્વારા પોરબંદરમાં અવારનવાર અનેકવિધ પ્રકારની સેવાપ્રવૃત્તિઓ યોજવામાં આવે છે ત્યારે તેમના શ્રી માતિનંદન સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવારો પૂર્વે પોરબંદર શહેર અને જિલ્લામાં વસવાટ કરતા અબોટી બ્રહ્મસમાજના જરિયાતમંદ પરિવારોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે શ્રી માતિ કુરિયરના સ્થાપક શ્રી માતિનંદન સેવા ટ્રસ્ટના રામભાઇ મોકરીયાએ જણાવ્યુ હતુ કે તેમની સંસ્થા દ્વારા સમયાંતરે અનેકવિધ પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે ત્યારે તેમના સમાજના નબળા અને જરિયાતમંદ પરિવારો દરેક તહેવારો સારી રીતે ઉજવી શકે તેવા હેતુ સાથે અનાજ કીટનું વિતરણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે થયુ હતુ
જેમાં પોરબંદર શહેર અને આજુબાજુના ગ્રામ્યપંથકમાં વસવાટ કરતા અબોટી બ્રહ્મસમાજના પરિવારજનોને તેનો હાથોહાથ લાભ આપવામાં આવ્યો હતો. માતિ કુરિયરના કર્મચારી સુરેશભાઇ મોકરીયા અને તેમની ટીમ દ્વારા સમગ્ર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયુ હતુ અને રાશનકીટ મેળવનારા લોકોએ પણ જ્ઞાતિના અગ્રણી દાતા રામભાઇ મોકરીયા અને તેમની ટીમનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech