રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉપલક્ષમાં અસ્થિ સંધાન દ્વારા ઇટ્રા ખાતે ઓર્થોપેડિક બાબતો માટે નિ:શુલ્ક નિદાન-સારવાર
આઇ.ટી.આર.એ. જામનગર ખાતે અસ્થિ સંધાન વિભાગ દ્વારા તા. ૨૮ અને ૨૯ નવેમ્બર ૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવણી અંતર્ગત સાંધા અને હાડકા લગત તકલિફો માટે નિ:શુલ્ક નિદાન સારવાર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીં ખભ્ભાનો દુ:ખાવો, ગરદનનો દુખાવો, કમરનો દુખાવો, પગના તળિયામાં દુખાવો બળતરા-ઝણઝણાટી, કાંડા તેમજ હાથનો દુખાવો-ફ્રેક્ચર તથા સ્નાયુ માંસપેશીના દુખાવા સહિતની તકલિફો માટે નિદાન સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રખર આયુર્વેદાચાર્યોની સાથે જામનગરના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડૉ. એમ. એસ. ડાંગર સાહેબ પણ આ કેમ્પમાં વિશેષ સેવા આપશે.
આ માટે જરૂરિયાત જણાતા કોઇ પણ વ્યક્તિએ ચિકિત્સા તેમજ સારવાર માટે અસ્થિ સંધાન ઓ.પી.ડી. રૂમ નંબર:૧૦૪, પંચકર્મ ભવન, યુ.જી. હોસ્પિટલ, ધન્વંતરી પરિસર, હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે, તા. ૨૮-૨૯ નવેમ્બરના રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. આ વ્યવસ્થાનો નિ:શુલ્ક લાભ લેવાં માટે સંસ્થાના પ્રભારી નિયામક પ્રો. બી. જે. પાટગીરી દ્વારા યાદીમાં જણાવાયું છે.