ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવસેવા સમિતિના ઉપક્રમે અત્રે જામનગર રોડ ઉપર આવેલી એલ.પી. બદિયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 31 માર્ચના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા દવા વિતરણ અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટની આંખની હોસ્પિટલના ડોક્ટરો તેમજ ટેકનીશિયનો તેઓની સેવાઓ આપશે. આ કેમ્પમાં દર્દીને સ્થળ પર તપાસીને દવા તેમજ સારવાર વિના મૂલ્યે અપાશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ લઈ જઈ અને આધુનિક પદ્ધતિથી વિનામૂલ્યે નેત્રમણી મૂકી આપવામાં આવશે. આ સાથે સર્વરોગ નિદાન તેમજ બ્લડ પ્રેશર કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના દર્દીઓને માનવ સેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech