જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર પૂર્વ સ્થાપનાના પચાસ વર્ષની ઉજવણી તેમ જ ગ્રુપના સીનીયર સભ્ય કાઉન્સિલર સભ્ય કમલભાઈ વ્યાસના જન્મદિવસ અંતર્ગત જામનગરના જાણીતા ફિઝીયોથેરાપીસ્ટ ડો.મારીસાબેન વિઠ્ઠલાણીના નેજા હેઠળ નિ:શુલ્ક ફીઝીયોથેરાપી સેવાકીય કેમ્પનું શુક્રવાર શનિવાર રવિવાર એમ ત્રણ દિવસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અસંખ્ય દર્દીઓએ લાભ લીધો હતો અને ડો.મારીસાબેન વિઠ્ઠલાણીની સેવાને બિરદાવી હતી.
આ સેવાકીય કેમ્પમાં જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશન ફેડરેશન ૩-બીના પ્રેસિડેન્ટ મુકેશભાઈ પાઠક,ઉપપ્રમુખ દુષ્યંતભાઈ પંડ્યા,શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને દાતા રામગોપાલ ભાઈ મહેશ્વરી,મેહુલભાઈ જોબનપુત્રા, ફેડરેશન સેક્રેટરી જયેશભાઇ ગોપયાણી,યુનીટ ડાયરેક્ટર રમેશભાઈ ભટ્ટ, ઓફિસર વિરલભાઈ નાકર (શાસ્ત્રી)પૂર્વ પ્રમુખ મુકેશભાઈ શાહ,અશોકભાઈ નથવાણી, અશોકભાઈ દવે, આશુતોષભાઈ ત્રિવેદી સહિતના હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ કીર્તિભાઈ કેવલીયા,ચેરમેન અતુલ મહેતા,પ્રોજેક્ટ ચેરમેન કમલભાઈ વ્યાસ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ પ્રમુખ સતીષભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.