પ્રયાગરાજથી પરત ફરતા ગારિયાધાર પંથકના દંપતી સહિત ચાર વ્યકિતના મોત

  • March 01, 2025 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગારીયાધારના પાવટી અને દામનગર ભાલવાવ ગામના સાળા–બનેવી પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભથી પરત કરતા સમયે ઝાંસીથી કાનપુર નેશનલ હાઈ–વે વચ્ચે ચિરગાવ પાસે ટૂંકની પાછળ કાર ઘુસી જતા કાર સવાર પાંચ લોકોમાથી ચારના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા.
ગારીયાધાર પંથકના રૂપાવટી ગામના રહીશ બિપીનભાઈ વલ્લભભાઈ ગોવાણી અને તેમના સાળા જગદીશ ભાઈ વિરાણી પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભથી તા.૨૭–૨ના પરત ફરતા સમયે રાત્રિના ઝાંસી–કાનપુર નેશનલ હાઇ–વે વચ્ચે ચિરગાવ પાસે પોતાની કાર જીજે. ૧૪. એપી–૯૭૯૬ ને ઓવરટેક કરતા સમયે ટ્રકની પાછળ ઘુસી જતા કારમાં બેઠેલા પાંચ લોકો પૈકી બીપીનભાઈ તેના સાળા જગદીશભાઈ વિરાણી,તેમના પત્ની ભાવનાબેન બીપીનભાઈ ગોયાણી અને કૈલાસબેન જગદીશભાઈ વિરાણીને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા તમામના ઘટના સ્થળ પર જ મૃત્યુ થવા હતા. યારે તેમની સાથે રહેલી પુત્રી  ચિલીને મેડીકલ કોલેજ ખાતે ગંભીર હાલતમાં લઈ જવાઈ હતી જેની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
 ઘટનાની જાણ થતા ચિરગાવ પોલીસ અને ૧૦૮ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી જયારે ગારીયાધાર અને ભાલવાર ધી મૃતકોના સ્વજનો પણ જવા માટે નીકળી ગયા હતા. પાવટી અને દામનગરના  ભાલવાવના બે દંપતીના માર્ગ અકસ્માતમાં કણ મૃત્યુ નિપજતા બન્ને ગામમાં ભારે અરેરાટી વ્યાપી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application