કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષે બુધવારે (04 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કલકત્તા હાઈકોર્ટે ભ્રષ્ટાચાર કેસની તપાસ સીબીઆઈને સોંપતા પહેલા તેમનો પક્ષ સાંભળ્યો ન હતો. ઘોષે હાઈકોર્ટ દ્વારા હોસ્પિટલમાં બળાત્કારની ઘટનાને ભ્રષ્ટાચારના આરોપો સાથે જોડતી ટિપ્પણીને હટાવવાની પણ માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર શુક્રવાર, 6 સપ્ટેમ્બરે સુનાવણી કરશે.
23 ઓગસ્ટના રોજ કલકત્તા હાઈકોર્ટે આરજી કર હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ રાજ્ય દ્વારા રચિત વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) પાસેથી સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષને મંગળવારે (3 સપ્ટેમ્બર, 2024) 8 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
CBIએ ભ્રષ્ટાચારના કેસમાં 3 લોકોની કરી ધરપકડ
સીબીઆઈએ સરકારી હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓના સંબંધમાં ઘોષની સાથે અન્ય ત્રણની ધરપકડ કરી હતી. ગયા મહિને એક જુનિયર ડૉક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યા બાદ હોસ્પિટલ પ્રશાસન સઘન તપાસનો સામનો કરી રહ્યું છે. સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘોષ સાથે ધરપકડ કરાયેલા અન્ય ત્રણમાં અફસર અલી (44) - તેના સુરક્ષા ગાર્ડ અને હોસ્પિટલના વિક્રેતાઓ બિપ્લવ સિંઘા (52) અને સુમન હઝારા (46)નો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech