વાંકાનેરમાં સમસ્ત મોમીન સમાજના ધર્મગુરૂ અને પૂર્વ ધારાસભ્ય ખુરશીદ હૈદર એ.પીરઝાદા (મીરસાહેબ)ને તા.૯ને શનિવારે સાંજે તેમના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવતા તુરંત તેઓને શહેરની પીર મસાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ. જયાં સારવાર દરમિયાન મીરસાહેબબાપુએ અંતિમ શ્ર્વાસ લીધા હતા.
આ વાત વાયુવેગે પ્રસરતા વાંકાનેર તથા તાલુકાભરના તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં તેમના નિવાસ સ્થાને ઘસી આવ્યા હતા. રવિવારે મીરૂમીયા બાવાની દરગાહ ખાતે આખરી દિદાર (દર્ષનાથે) સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વસતા અનુયાયીઓ હજારોની સંખ્યામાં પહોંચ્યા હતા. આખરી સફર માટે મીમીયાબાવાની દરગાહ ખાતેથી ચંદ્રપુર ખાતે આવેલ પીરમોમીન શાહ બાવાની દરગાહ ખાતે લઈ ત્યાં જનાઝાની નમાઝ અદા કરાવવામાં આવી હતી. જે નમાઝ અદા કરાવ્યા બાદ બપોરે એક વાગ્યે પરત મીમીયાબાવાની દરગાહ (લક્ષ્મીપરા) ખાતે પહોંચેલ. જયાં દફનવિધી કરવામાં આવી હતી.
જયારે વાંકાનેરના લોકોના હૈયામાં વસતા અને હજારો અનુયાયીઓના રાહદાર એવા મીરસાહેબબાપુના નિધનથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
આજે તા.૧૧ને સોમવારે મુસ્લિમ સમુદાય માટે બપોરે ૨-૩૦થી ૪ વાગ્યા દરમિયાન મીમીયા બાવાની દરગાહ ખાતે ઝિયારત રાખવામાં આવેલ છે. તા.૧૨ને મંગળવારના રોજ સર્વે સમાજ માટે સાંજે ૪થી ૬ કલાકે, મીમીયા બાવાની દરગાહના કંમ્પાઉન્ડ ખાતે શ્રઘ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech