વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય ખુરશીદ હૈદર પીરઝાદાનું હૃદય થંભી ગયું

  • March 11, 2024 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેરમાં સમસ્ત મોમીન સમાજના ધર્મગુરૂ  અને પૂર્વ ધારાસભ્ય ખુરશીદ હૈદર એ.પીરઝાદા (મીરસાહેબ)ને તા.૯ને શનિવારે સાંજે તેમના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવતા તુરંત તેઓને શહેરની પીર મસાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ. જયાં સારવાર દરમિયાન મીરસાહેબબાપુએ અંતિમ શ્ર્વાસ લીધા હતા.

આ વાત વાયુવેગે પ્રસરતા વાંકાનેર તથા તાલુકાભરના તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં તેમના નિવાસ સ્થાને ઘસી આવ્યા હતા. રવિવારે મીરૂમીયા બાવાની દરગાહ ખાતે આખરી દિદાર (દર્ષનાથે) સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વસતા અનુયાયીઓ હજારોની સંખ્યામાં પહોંચ્યા હતા. આખરી સફર માટે મી‚મીયાબાવાની દરગાહ ખાતેથી ચંદ્રપુર ખાતે આવેલ પીરમોમીન શાહ બાવાની દરગાહ ખાતે લઈ ત્યાં જનાઝાની નમાઝ અદા કરાવવામાં આવી હતી. જે નમાઝ અદા કરાવ્યા બાદ બપોરે એક વાગ્યે પરત મી‚મીયાબાવાની દરગાહ (લક્ષ્મીપરા) ખાતે પહોંચેલ. જયાં દફનવિધી કરવામાં આવી હતી.

જયારે વાંકાનેરના લોકોના હૈયામાં વસતા અને હજારો અનુયાયીઓના રાહદાર એવા મીરસાહેબબાપુના નિધનથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

આજે તા.૧૧ને સોમવારે મુસ્લિમ સમુદાય માટે બપોરે ૨-૩૦થી ૪ વાગ્યા દરમિયાન મી‚મીયા બાવાની દરગાહ ખાતે ઝિયારત રાખવામાં આવેલ છે. તા.૧૨ને મંગળવારના રોજ સર્વે સમાજ માટે સાંજે ૪થી ૬ કલાકે, મી‚મીયા બાવાની દરગાહના કંમ્પાઉન્ડ ખાતે શ્રઘ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application