જામનગરના પૂર્વ રણજી ખેલાડી વામનભાઇ જાનીનું નિધન

  • July 15, 2023 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓલ રાઉન્ડર સલીમ દુરાનીના ખાસ મિત્ર વામનભાઇ નિધનથી ક્રિકેટરસીકોમાં શોકની લાગણી: તેઓ જામસાહેબની ટીમ તરફથી અનેક મેચો રમ્યા હતા...

જામનગરના વતની અને રણજી ટ્રોફીના પૂર્વ ખેલાડી વામનભાઇ જાનીનું આજે ૮૪ વર્ષની ઉંમરે નિધન થતાં ક્રિકેટરસીકોમાં ભારે શોકની લાગણી જન્મી છે, ખાસ કરીને તેઓ જામનગરના જ નહીં સમગ્ર વિશ્ર્વમાં વિખ્યાત થયેલા ઓલરાઉન્ડ સલીમ દુરાનીના ખાસ મિત્ર હતા, તાજેતરમાં જ સલીમ દુરાનીનું પણ અવસાન થયું છે, ત્યારે વધુ એક ક્રિકેટરનું અવસાન થતાં ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો. દ્વારા પણ તેમને શ્રઘ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
વામનભાઇ જાની અગાઉ જામનગર ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, ભૂતકાળમાં જામસાહેબની ટીમ તરફથી તેઓએ અનેક મેચો રમ્યા છે અને તેઓ ઇંગ્લેન્ડમાં પણ ક્રિકેટ રમવા ગયા હતા, તેઓએ સારા બોલર અને સારા બેટધર પણ હતા, તેઓ ઓલરાઉન્ડ તરીકે પણ વિખ્યાત થયા હતા, રેડક્રોસ સોસાયટીમાં પણ તેઓ સભ્ય હતા અને થેલેસેમીયાના રોગ પર તેઓએ સા‚ં કામ કર્યું હતું, આજે તેમના નિવાસસ્થાનેથી તેમની નીકળેલી સ્મશાન યાત્રામાં જામનગર ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ના હોદ્દેદારો અજયભાઇ સાદીયા, વિનુભાઇ ધ્રુવ, મહેન્દ્રસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application