ગુજરાતના પૂર્વ પ્રધાન ગણપત વસાવા વરસાદી પૂરમાં અટવાયા

  • July 24, 2024 07:23 PM 

સુરતના માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ વન પ્રધાન ગણપત વસાવા વરસાદી પૂરમાં અટવાઈ ગયાના સમાચાર સામે આવ્યા હતા. 


વિગતવાર વાત કરીએ તો પૂરથી અસરગ્રસ્ત થયેલા ગામોની મુલાકાતે ગણપત વસાવા ગયા હતા. આ દરમિયાન માંગરોળના લીંબાડા ગામે ગયા બાદ પરત ફરતી વેળાએ પૂર્વ વન પ્રધાન ગણપત વસાવા અટવાઈ ગયા હતા. ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગણપત વસાવા અટવાયા હોવાની જાણ થતા જ તંત્ર દોડતું થયું હતું.


અત્યાર સુધી 535 લોકોનું કરાયું રેસ્ક્યું

વરસાદી પૂર કે પાણીમાં ફસાઈ ગયા હોય તેવા 535 લોકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આજે 826 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોનુ રેસ્ક્યુ કરવામા આવ્યું છે. વર્તમાન ચોમાસામાં વીજળી પડવાથી, પાણીમાં ડુબી જવા સહિતના વિવિધ કારણોસર કુલ 61 લોકોના મોત થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application