જામનગર જિલ્લામાં આંતરિક ફરીયાદ નિવારણ સમિતિની રચના

  • June 15, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કામકાજના સ્થળો પર મહિલાઓની જાતિય સતામણી થાય તો ફરિયાદ કરી શકાશે


મહિલાઓ માટે કામકાજના સ્થળ પર જાતિય સતામણી અટકાવવા માટે આંતરીક ફરીયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી હતી.


ગુજરાત રાજ્યના અધિક રજીસ્ટ્રારની સૂચના મુજબ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 ની જોગવાઈ પ્રમાણે જામનગર જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીમાં આંતરિક ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષસ્થાને પ્રિતિબેન ગોહેલ તથા સભ્યો તરીકે સરકારે પ્રતિનિધિઓમાં દીનાબેન જોટંગીયા, એમ.એન. જેઠવા, એચ.વી. કટારમલ તેમજ બીન સરકારી પ્રતિનિધિ તરીકે જામનગરની મહિલા સહકારી બેંકના ચેરપર્સન શેતલબેન શેઠની નિમણૂક કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application