વડાપ્રધાન મોદીએ ભારતીયોને વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી તે પહેલાં જ ભારતીયોના વિદેશ પ્રવાસમાં ઘટાડો થાઈઓ ચુકયો હોવાના ચોંકાવનારા આંકડા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યા છે. આરબીઆઈ એ અહેવાલ આપ્યો છે કે માર્ચમાં ભારતીય વિદેશ યાત્રા ખર્ચ ઘટીને ૧.૦૯ બિલિયન ડોલર થયો છે. માહિતી અનુસાર, જાન્યુઆરીમાં વિદેશી ખર્ચ ૧.૬૫ બિલિયન ડોલર અને ફેબ્રુઆરીમાં ૧.૩૦ બિલિયન ડોલર હતો.
આરબીઆઈની લિબરલાઈડ રેમિટન્સ સ્કીમ હેઠળ આ આંકડાઓને સમજવા મહત્વપૂર્ણ છે. માર્ચમાં, ભારતીય પ્રવાસીઓ દ્રારા વિદેશ મોકલવામાં આવેલી કુલ રકમ ૨.૫૯ બિલિયન ડોલર હતી, જેમાં મુસાફરી ખર્ચ સૌથી મોટો હિસ્સો ધરાવે છે. નિયમો અનુસાર, સ્કીમ હેઠળ, કોઈપણ નિવાસી ભારતીય ફકત વ્યવહારો માટે વાર્ષિક ૨૫૦,૦૦૦ ડોલર સુધી મોકલી શકે છે.
ભારતીયો દ્રારા કરવામાં આવતા અન્ય ખર્ચાઓનું ગણિત સમજવાનું બાકી છે. અન્ય મુસાફરી શ્રેણીમાં મુસાફરી તેમજ આંતરરાષ્ટ્ર્રીય ક્રેડિટ કાર્ડ ખર્ચનો સમાવેશ થાય છે. વધુમાં, માર્ચમાં ૬૨૩ મિલિયન ડોલર ખર્ચવામાં આવ્યા હતા, જે કુલ મુસાફરીના આશરે ૫૭ ટકા હતા. પ્રથમ, ૪૫૦.૧ મિલિયન ડોલર શૈક્ષણિક મુસાફરી પર ખર્ચવામાં આવ્યા હતા. દરમિયાન, વિદેશમાં અભ્યાસ શ્રેણીમાં ખર્ચ માર્ચમાં ઘટીને ૧૫૧.૭ મિલિયન ડોલર થયો હતો, જે જાન્યુઆરીમાં ૨૬૭.૪ મિલિયન ડોલર હતો.વધુમાં, વિદેશમાં રહેતા પરિવારના સભ્યોને મોકલવામાં આવેલ રેમિટન્સ ફેબ્રુઆરીમાં ૨૬૬.૧ મિલિયન ડોલરથી વધીને માર્ચમાં ૩૮૯.૭ મિલિયન ડોલર થયો હતો. અન્ય ખર્ચમાં વ્યવસાયિક મુસાફરી, યાત્રા અને તબીબી ખર્ચનો સમાવેશ થાય છે, યારે વિદેશી રિયલ એસ્ટેટ ખરીદી પર ખર્ચ ઘટીને ૩૮.૬ મિલિયન થયો છે.
વિદેશ મુસાફરી પરના આ મોટા ખર્ચને બચાવવા માટે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશના શ્રીમતં અને મધ્યમ વર્ગના નાગરિકોને ખાસ અપીલ કરી હતી. તેમણે તેમને તમારા દેશને જુઓ ને પ્રાથમિકતા આપવા વિનંતી કરી. પીએમ મોદીએ સમજાવ્યું કે ભારતીયોએ તેમના જીવનના મુખ્ય કાર્યક્રમો, જેમ કે લ અને રજાઓ, વિદેશમાં ઉજવવાને બદલે ભારતના સુંદર પર્યટન સ્થળોએ આયોજન કરવાનું વિચારવું જોઈએ