નૈઋત્યનું ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી નૈઋત્યના ચોમાસા એ વિદાય લીધી છે અને જે વિસ્તારો હજુ બાકી રહી ગયા છે ત્યાંથી એકાદ બે દિવસમાં જ વિદાય લેવામાં આવશે તેવી જાહેરાત હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 27 સહિત રાજયના 47 તાલુકામાં સામાન્યથી સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર સોમવારે વધુ રહ્યું હતું પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાં માત્ર ઝાપટા પડ્યા છે.
એકધારા વરસાદી માહોલના કારણે મહત્તમ તાપમાન નો પારો સમગ્ર રાજ્યમાં 35 ડીગ્રીથી નીચે સરકી ગયો છે. પરંતુ હવે વરસાદનું જોર ઘટતા આજથી ફરી ગરમીના પ્રમાણમાં વધારો થશે અને આગામી બે દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી જેટલો ગરમીમાં વધારો થશે.
અરબી સમુદ્રમાં મધ્ય ભાગમાં સર્જાયેલું ડિપ્રેશન છેલ્લા છ કલાકથી પ્રતિ કલાકના 27 કિલોમીટરની ઝડપે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે અને તેનાથી ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. આવી જ રીતે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર તામિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે. ચેન્નઈમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપતું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાથી શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દક્ષિણના રાજ્યોમાં નોર્થ ઈસ્ટ ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તામિલનાડુ કણર્ટિક આંધ્ર પ્રદેશ પુડીચરી સહિતના દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તામિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ તેનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech