દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનાજ વિતરણની તા. 5 જૂન સુધી લંબાવાતી મુદ્દત

  • June 04, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (એનએફએસએ) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓ માટે જારી કરવામાં આવેલી એક યાદીમાં જણાવ્યું છે કે જેના ઈ-કેવાયસી બાકી હોય તો ત્વરિત તે કરાવી લઈ, નજીકની વાજબી ભાવની દુકાનો ખાતેથી અનાજનો લાભ મેળવી શકશો. આ ઉપરાંત એનએફએસએ હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તા. 5 જૂન સુધીમાં જૂન માસનો અનાજનો જથ્થો મેળવી લેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (એનએફએસએ) હેઠળ સમાવિષ્ટ રાજ્યના તમામ લાભાર્થીઓને "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" હેઠળ વિના મૂલ્યે મળતા અનાજનો લાભ મેળવવા માટે અને લાભાર્થીઓની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ધારા ધોરણો પ્રમાણે લાભ મળે તે માટે ઈ-કેવાયસી શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 92 ટકાથી વધુ લાભાર્થીઓએ પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું છે.


આ ઈ-કેવાયસીનો ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવા માટેનો છે. આથી કોઈએ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application