જામનગરમાં વિનુ માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ

  • August 24, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્રિકેટ વિભૂતિની પુણ્યતિથી પર વડનગરા નાગર જ્ઞાતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ


ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર અને બેટીંગ ઉપરાંત બંને હાથે બોલીંગ કરી શકતા લેજન્ડરી ઓલરાઉન્ડર સ્વ. વિનુ માંકડની પુણ્યતિથી બોળ ચોથનાં દિને વડનગરા નાગર જ્ઞાતિ જામનગર દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરમાં ક્રિકેટ બંગલા નજીક વિનુ માંકડ માર્ગ પર આવેલ સ્વ.વિનુ માંકડની પ્રતિમાને જ્ઞાતિનાં હોદ્દેદારો, જ્ઞાતિજનો તેમજ બાળ અને યુવા ખેલાડીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભોલાનાથભાઇ રીંડાણી સહિતનાં જ્ઞાતિનાં આગેવાનોએ વિનુ માંકડની પુણ્યતિથી પર પરંપરાગત રીતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હોવાનું જણાવી તેમનાં યોગદાનને ક્રિકેટ જગતમાં અવિસ્મરણીય તથા જ્ઞાતિજનો અને યુવા ખેલાડીઓ માટે પ્રેરક અને ગૌરવપ્રદ ગણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application