પાણી પુરવઠા વિભાગ દ્વારા પાંચ મદદનીશ ઈજનેરને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે.
નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઘણા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવી રહ્યાં છે. જે કર્મચારીઓ સામે કોઈ ખાતાકીય કે ફોજદારી કેસમાં તપાસ ચાલુ હોય તેવા કિસ્સામાં ઘણા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ અપાવી ઘરે બેસાડી દેવામાં આવે છે.
ગુજરાત સરકારે રાજ્યના અનેક અધિકારીઓને તાત્કાલિક અસરથી નિવૃત્ત કરવાનો હુકમ કર્યો છે. આ નિર્ણય રાજ્ય સરકારના મુલ્કી સેવા નિયમો અને તાજેતરના એક ઠરાવના આધારે લેવામાં આવ્યો છે.
નિવૃત્ત થનારા અધિકારીઓમાં મુખ્યત્વે અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)નો સમાવેશ થાય છે. આ અધિકારીઓ વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા હતા.
જાણો નામ
1. શ્રી જશવંતસિંહ મગનભાઇ પરમાર
હાલની ફરજનું સ્થળ- વડોદરા પંચાયત સિંચાઇ વર્તુળ, વડોદરા હસ્તક પંચાયત સિંચાઇ વિભાગ, દાહોદ હસ્તક નાની સિંચાઇ પેટા વિભાગ, દેવગઢ બારીયા
2. શ્રી પ્રદિપભાઇ વજાભાઇ ડામોર
હાલની ફરજનું સ્થળ- સરદાર સરોવર નર્મદા નિગમ લી. હસ્તક પ્રતિનિયુક્તિથી
3. શ્રી શૈલેષભાઈ પ્રભાતભાઈ દેસાઈ
હાલની ફરજનું સ્થળ- સરદાર સરોવર નર્મદા નિગમ લી. હસ્તક પ્રતિનિયુક્તિથી
4. શ્રી બાબુભાઇ રામાભાઇ દેસાઇ
હાલની ફરજનું સ્થળ- સુજલામ સુફલામ વર્તુળ નં.૨, મહેસાણા હસ્તક સુજલામ સુફલામ વિભાગ નં.૨, વિસનગર હસ્તક સુજલામ સુફલામ પેટા વિભાગ નં.૧૧, પાટણ
5. શ્રી અરવિંદભાઇ ભીખુભાઇ માહલા
હાલની ફરજનું સ્થળ- સુરત સિંચાઇ વર્તુળ, સુરત હસ્તક ડ્રેનેજ વિભાગ નં.૨, સુરત હસ્તક ડ્રેનેજ ડીઝાઇન પેટા વિભાગ, સુરત
થોડા સમય પહેલા ગુજરાત સરકારે વધુ બે ક્લાસ વન ઓફિસરને ફરજિયાત નિવૃત કર્યા હતા. સાબરકાંઠા જીલ્લા પંચાયત, હિંમતનગરમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા કે.ડી.રાઠોડ તેમજ એમ.એસ.ભોયા ફરજીયાત નિવૃતિ અપાઈ છે. માર્ગ અને મકાન વિભાગ નોટિફિકેશન દ્વારા બંને અધિકારીઓને ફરજીયાત નિવૃતિ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech