રાજકોટના લોકમેળાના ઉદઘાટનને હવે એક જ દિવસ આડો છે પરંતુ મેળાનું આરંભથી જ ચાલતું ઉલ્ટુ ચકકર હજી સીધું થયું નથી. સરકારની એસઓપીનો રાઈડસ ધારકો દ્રારા ઉલાળીયો કરી દેવાતા ગઈકાલે સાંજે અચાનક જ કલેકટર અને પોલીસ વિભાગ દ્રારા રાઈડસના કામો અટકાવી દેવામાં આવ્યા છે. રાત્રે વિજ પુરવઠો પણ નહીંવત કરાવી દેવાયો હતો. રાઈડસ સંચાલકોએ એસઓપી સામે હાઈકોર્ટમાં દાદ માગી છે. આજે બન્ને પક્ષોની રજુઆત અને દલીલો બાદ હાઈકોર્ટ દ્રારા રાઈડસ ધારકોને તારીખ ૨૭ સુધીમાં મંજુરીની પ્રક્રિયા બાબતે જરૂરી ડોકયુમેન્ટ સાથે જે તે ઓથોરિટી સમક્ષ એપ્લાય થવા માટે કહેવાયું છે. વધુ સુનાવણી તા. ૨૭ પર હાથ ધરાઈ છે. લાયસન્સ ઓથોરિટી દ્રારા ચકાસણી બાદ નિર્ણય લેવાનો રહેશે.
બન્ને પક્ષ દ્રારા હાઈકોર્ટ સમક્ષ એકબીજાના પક્ષ રાખવામાં આવ્યા છે. દલીલોના અંતે રાઈડસ સંચાલકોને પોલીસ કમિશનર તેમજ પીડબલ્યુડી યાંત્રિક વિભાગ લાયસન્સ ઓથોરિટી સમક્ષ એપ્લીકેશન કરવા કહેવાયું છે. પાંચ દિવસનાં સમય ગાળા દરમિયાન ડોકયુમેન્ટ સાથે મંજુરીની પ્રક્રિયા પૂર્ણ કરવા અને એપ્લીકેશન પર મંજુરી આપવા સક્ષમ વિભાગ નિર્ણય કરશે તેવું દેખાઈ રહ્યું છે.
આજે બીજા દિવસે હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણીમાં રાઈડસ સંચાલકોને લોકલ ઓથોરિટી સમક્ષ દસ્તાવેજી પુરાવા રજુ કરવા માટે પાંચ દિવસનો સમય અપાયો છે. દસ્તાવેજી પુરાવાઓ તેમજ રાઈડસની ચકાસણી ટેકનિકલ બાબતો સહિતની વિગતો તપાસી રાઈડસને મંજુરી આપવી કે કેમ તેનો આખરી નિર્ણય લોકલ ઓથોરિટી પર છોડાયો છે. જેને લઈને હવે આવતીકાલથી શરૂ થનારા આ મેળામાં હજુ રાઈડસ સરકારી એસઓપી મુજબ ન હોવાથી આ રાઈડસ મેળામાં ચાલુ થશે કે કેમ? તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
રાજકોટના ટીઆરપી ગેમઝોન અિકાંડને લઈને રાય સરકાર દ્રારા ખાસ એસઓપી જાહેર કરાઈ હતી. મેળામાં રાઈડસના તમામ પ્લોટ એક જ પાર્ટીએ ૧.૨૭ કરોડની હરાજીમાં રાખી લીધા હતા. એસઓપીની ઐસીતૈસી કરીને રેસકોર્ષના મેદાનમાં ગત સાહથી રાઈડસના માંચડા ખડકાવવા લાગ્યા હતા અને હવે રાઈડસનું ૯૦ ટકા સુધીનું ફીટીંગનું કામ પુર્ણ પણ થઈ ગયું છે. રાઈડસ સંચાલકો દ્રારા માર્ગ અને મકાન વિભાગના યાંત્રીક પેટા વિભાગમાં રાઈડસની ચકાસણીથી લઈ જરૂરી અલગ અલગ નિયમ બાબતે અરજી કરવાની પણ તસ્દી લેવાઈ ન હતી. એકસાથે હરાજીમાં તમામ પ્લોટ રાખનાર વિરેન્દ્રસિંહ ગોહીલ નામના વ્યકિત દ્રારા એસઓપીમાં ફાઉન્ડેશન કે નિયમને લઈને રાઈડસને આખરી સમયે તત્રં દ્રારા અટકાવવામાં ન આવે તેવા હેતુથી હાઈકોર્ટમાં અરજી કરી હતી. સાથે ખાનગી મેળાવાળાઓ પણ જોડાયા છે. જેમાં એવો બચાવ રજુ કરાયો કે, સોઈલ રીપોર્ટ પોઝીટીવ એટલે કે, જમીન ખડકાળ હોવાનું જણાવાયું છે માટે ફાઉન્ડેશનની ફરજ પાડી ન શકાય. સહિતના મુદ્દા દર્શાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી સંદર્ભે ગઈકાલે સરકાર પક્ષે એવી રજુઆત કરાઈ હતી કે, એસઓપીનું સલામતીની દ્રષ્ટ્રીેએ પાલન કરવું પડે. એસઓપીમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. અરજદારને અગાઉથી જ નિયમોનો ખ્યાલ હતો. જેથી અરજદારનો બચાવ અને કારણો યોગ્ય લાગતા નથી. આવા મુદ્દાઓ સાથે સરકાર પક્ષે અરજીનો વિરોધ વ્યકત કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech