બેડ ટોલ નાકા પર થયેલ ખુન કેસમા પાંચ આરોપીઓને આજીવન કેદની સજા

  • March 29, 2024 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ખંભાળિયા ધોરીમાર્ગે બેડ  ટોલનાકા પાસે ૧૨ વર્ષ પહેલાં નીપજાવેલી હત્યાના કેસમાં પાંચ આરોપીઓ ને અદાલતે આજીવન કેદ ની સજા નો હુકમ કર્યો છે.


આ  કેસ ની વિગ એવી છે કે ગત તા. ૧૩.૭.૧૨ ના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યે આરોપીઓ બાબુ કરમશી પરમાર , મેરાભાઈ ઉર્ફે મેરામણ સાંજણભાઈ. ખાંભલા,  ગગુ ઉર્ફે રત્નો સાજણભાઈ ખાંભલા,. ભારા લાખા ઉર્ફે ફોગો ખાંભલા અને હિરાભાઈ ઉર્ફે ગરવાભાઈ સાજણભાઈ ખાંભલા( રહે.તમામ બેડ ગામ) એ પુર્વયોજીત કાવતરૂ કરી ને  ગેરકાયદેસર મંડળી  કરી ને   બેડ ગામ નાં બહાદુરસિહ રાજમલસિહ જાડેજા  ની  બેડ ગામના જુના બસ સ્ટેન્ડ પાસે રોકી આ કામના આરોપીઓ જીવલેણ હથીયાશ વડે પ્રહાર કરી ને હત્યા નિપજાવી હતી. જે અનુસંધાને પંચ 'બી' પો.સ્ટે. ફરીયાદ દાખલ થયેલ અને ત્યારબાદ આ તમામ આરોપીઓ સામે સદરહુ કેસ જામનગર ના સેશન્સ જજ  ની કોર્ટમાં ચાલી જતા  ફરીયાદ પક્ષે કુલ ૩૩ સાહેદો તપાસવામા આવેલ અને ત્યારબાદ ફરીયાદ પક્ષે સરકારી વકીલ દિપક આર. ત્રિવેદી ધ્વારા રજુ થયેલ દસ્તાવેજો તેમજ મૈખીક પુરાવો અંગે વિગતવાર વિસ્તૃત દલીલ કરવામાં આવી હતી. અને આરોપીઓ સામે ગુનો પુરવાર થતો હોય જેથી સરકાર પક્ષની દલીલ માન્ય રાખી જામનગર ના સેશન્સ જજ એસ.કે.બક્ષી  એ આ કામના તમામ પાંચ આરોપીઓ ને તકસીરવાન ઠેરવી આજીવન સખત કેદ ની સજા  નો હુકમ કર્યો છે. આ  કેસમાં સરકાર તરફે વકીલ ડી આર ત્રિવેદી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application