ચંદીગઢ કોર્ટ કોમ્પ્લેક્સમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. લગ્નના વિવાદને લઈને બે પક્ષો ફેમિલી કોર્ટમાં આવ્યા હતા. આ દરમિયાન પંજાબ પોલીસના પૂર્વ એઆઈજી માલવિંદર સિંહ સિદ્ધુએ તેમના જમાઈ પર ગોળીબાર કર્યો, જેના કારણે તેમનું મોત થઈ ગયું હતું. મૃતક જમાઈ કૃષિ વિભાગમાં આઈઆરએસ હતા.
બંને પક્ષો વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી ત્યારે આરોપીએ બાથરૂમ જવાનું કહેતા જમાઈએ કહ્યું કે હું રસ્તો બતાવું અને બંને રૂમની બહાર નીકળી ગયા.
આ દરમિયાન આરોપીએ તેની બંદૂકમાંથી પાંચ ગોળી ચલાવી. જેમાંથી બે ગોળી યુવાનને વાગી હતી. એક ગોળી અંદરના રૂમના દરવાજા પર વાગી હતી. બે ફાયર ખાલી ગયા. ગોળીનો અવાજ આવતા જ કોર્ટમાં હંગામો મચી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા વકીલોએ આરોપીને પકડીને રૂમમાં બંધ કરી દીધો અને પોલીસને જાણ કરી.
આ પછી ઘાયલને સેક્ટર 16ની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રૂમમાં બંધ આરોપીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની આ સોસાયટીના સ્થાનિકો પોતાની રક્ષા પોતે જ કરે છે, જુઓ વિશેષ અહેવાલ
April 09, 2025 12:44 PMદુબઈમાં કઈ મહિલાએ પહેરી 100 મિલિયન ડોલરની બ્લુ ડાયમંડ રિંગ? જોનારાઓ રહી ગયા દંગ
April 09, 2025 12:39 PMજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMયુએસના ૧૦૪ ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ચીનની પ્રતિક્રિયા: અમે સામનો કરવા માટે તૈયાર
April 09, 2025 11:59 AMભારત સહિત ઘણા દેશો ટેરિફ ઘટાડવા તૈયાર, ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરનો દાવો
April 09, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech