ઓડિશાના પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની ચંદન યાત્રા પર્વ દરમિયાન ફટાકડાના ઢગલામાં વિસ્ફોટ થતા ૨૦થી વધુ શ્રદ્ધાળુઓ દાઝી ગયા છે.
ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે નરેન્દ્ર પુષ્કરિણી સરોવર ખાતે ચંદન યાત્રા પર્વ માટે સેંકડો લોકો એકઠા થયા હતા. આ દરમિયાન ભકતોનું ટોળું ફટાકડા ફોડી રહ્યું હતું, જેમાંથી એક તણખો ફટાકડાના ઢગલામાં પડી ગયો હતો. જેના કારણે વિસ્ફોટ થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ફટાકડા ફટા બાદ તે ભીડમાં ઉડા હતા. જેના કારણે અનેક લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકો ફટાકડાથી બચવા માટે તળાવમાં કૂદી પડા હતા. એક ડોકટરે જણાવ્યું કે ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી ચારની હાલત ગંભીર છે.
આ ઘટના પર દુ:ખ વ્યકત કરતા મુખ્યમંત્રી નવીન પટનાયકે સોશિયલ મીડિયા એકસ પર લખ્યું, પુરી નરેન્દ્ર પૂલ પાસે થયેલા અકસ્માત વિશે સાંભળીને દુ:ખ થયું. મુખ્ય વહીવટી સચિવ અને જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા અને વ્યવસ્થા પર દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી છે. ઘાયલોનો તમામ તબીબી ખર્ચ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ઉઠાવવામાં આવશે.
આ ઘટના પર દુ:ખ વ્યકત કરતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પુરી ચંદન યાત્રા દરમિયાન નરેન્દ્ર પુષ્કરિણી દેવીઘાટ પર થયેલા કમનસીબ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર સાંભળીને દુ:ખ થયું. હત્પં ભગવાનને પ્રાર્થના કં છું કે જેમની સારવાર ચાલી રહી છે તેઓ જલ્દી સ્વસ્થ થઈને ઘરે પાછા ફરે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech