મંગળવારથી ભારે પવનને કારણે ફેલાઈ રહેલી જંગલની આગ, અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસ વિસ્તારમાં સતત બેકાબૂ બની રહી છે. કેટલીક જગ્યાએ ૯૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાતા આગ ઝડપથી ફેલાઈ ગઈ. પાંચ લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. આગમાં ૧૫૦૦થી વધુ ઘરો બળીને ખાક થઈ ગયા. આગને કારણે હોલિવૂડ અભિનેતા આર્નેાલ્ડ શ્વાર્ઝનેગર, કાર્લ ગ્રેગ, બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સ, બિલી ક્રિસ્ટલ, મેન્ડી મૂરે, પેરિસ હિલ્ટન,માર્ક હેમિલ, જેમ્સ હડ, જેનિસ જેવી હસ્તીઓના ઘર બળીને ખાક થઈ ગયા છે.
હોલીવુડ સ્ટાર્સના બંગલા બળીને રાખ થઈ ગયા છે. ૭૦,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ભાગવું પડુ.ં પડતા તણખાને કારણે, લોકો ગભરાટમાં પોતાના વાહનો છોડીને ચાલ્યા ગયા, લોકો પગપાળા દોડતા જોવા મળ્યા અને રસ્તાઓ જામ થઈ ગયા હતા. લોસ એન્જલસ કાઉન્ટીમાં લગભગ ૧૮૮,૦૦૦ ઘરો વીજળી વગરના રહ્યા. પવનની ગતિ પણ વધીને ૧૨૯ કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી.
પેસિફિક પેલિસેડસમાં લાગેલી આ આગમાં ગઈકાલે બપોર સુધીમાં લગભગ ૧૬,૦૦૦ એકર એટલે કે ૬,૫૦૦ હેકટર જંગલ બળીને રાખ થઈ ગયું છે. કેલિફોર્નિયાના રિયલ એસ્ટેટનો મોટો હિસ્સો બળીને ખાખ થઈ ગયો છે. લોસ એન્જલસ કાઉન્ટી ફાયર ચીફ એન્થોની મેરોને કહ્યું કે તેમણે આટલી મોટી આફત પહેલા કયારેય જોઈ નથી. અમે અમારા શ્રે પ્રયાસો કરી રહ્યા છીએ. પરંતુ અમારી પાસે બધા વિભાગોમાં તેને સંભાળવા માટે પૂરતા અિશામકો નથી, તેમણે કહ્યું. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા અનેક વીડિયોમાં ભયાનક દ્રશ્યો દેખાય છે.
શકિતશાળી પવનને કારણે લાગેલી આગને કારણે હજારો લોકોને તેમના ઘરો અને વ્યવસાયો ખાલી કરાવવાની ફરજ પડી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી કારણ કે લોસ એન્જલસમાં જંગલમાં આગ ફાટી નીકળી હતી.
ગવર્નર ગેવિન ન્યુસોમે અહેવાલ આપ્યો કે આગને કાબુમાં લેવા માટે ૧,૪૦૦ થી વધુ ફાયરબ્રિગેડને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં ઓરેગોનથી વધારાની સહાય મળી રહી છે, જેણે ૨૪૦ ફાયરબ્રિગેડ મોકલ્યા છે. લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટે ફરજ પર ન હોય તેવા તમામ કર્મચારીઓને આ મુશ્કેલીમાં જોડાવા માટે હાકલ કરી છે.
પ્રારંભિક અંદાજ મુજબ આ આગથી થયેલા આર્થિક નુકસાન ૫૨ બિલિયન ડોલરથી ૫૭ બિલિયન ડોલરની વચ્ચે છે. વિનાશ પેસિફિક પેલિસેડસમાં કેન્દ્રિત છે, યાં ઓછામાં ઓછા ૧,૦૦૦ બાંધકામો નાશ પામ્યા છે, જેના કારણે પેલિસેડસ ફાયર લોસ એન્જલસના ઇતિહાસમાં સૌથી વિનાશક બની ગયું છે. તે નવેમ્બર ૨૦૦૮ના સેયર ફાયરને વટાવી ગયું છે, જેમાં સિલ્મરમાં ૬૦૪ બાંધકામોનો નાશ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech