પટનાથી બાંદ્રા જતી પટના–બાંદ્રા સુપરફાસ્ટ એકસપ્રેસના જનરલ ડબ્બાની નીચે અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટના બાદ મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. આ અકસ્માત દાનાપુર–દીનદયાળ ઉપાધ્યાય રેલ્વે વિભાગના ડુમરાઓ સ્ટેશન પાસે થયો હતો.જો કે કોઈ જાનહાની ન થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. અને એ બોગીને અલગ કરી ત્યાં જ થોભાવી દેવામાં આવી હતી અને ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
બુધવારે મોડી રાત્રે પટનાથી બાંદ્રા જતી પટના–બાંદ્રા સુપરફાસ્ટ એકસપ્રેસના જનરલ ડબ્બાની નીચે અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટના બાદ મુસાફરોમાં ભય ફેલાયો હતો. આ દુર્ઘટના દાનાપુર–દીનદયાળ ઉપાધ્યાય રેલ્વે વિભાગના ડુમરાઓ સ્ટેશન પાસે બની હતી. ફાયર બ્રિગેડ અને રેલવેની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.અને ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. રાત્રે લગભગ ૧:૦૨ વાગ્યે, યારે ટ્રેન ટુડીગજં રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ત્યાં હાજર રેલવે કર્મચારીઓએ જોયું કે ટ્રેનની જનરલ બોગીના નીચેના ભાગમાંથી આગની વાળાઓ નીકળી રહી હતી. તેમણે તાત્કાલિક રેલવે કંટ્રોલ મ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ પછી ટ્રેનને ડુમરાઓ સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.ફાયર ઓફિસર વિનોદ કુમારે જણાવ્યું કે આગ એલએચબી કોચ (જનરલ બોગી)ના વ્હીલ અને એકસેલ વચ્ચે ફાટી નીકળી હતી. આ આગ વધુ પ્રસરે તે પહેલા જ ઓલવાઈ ગઈ હતી.
આગ કઈ રીતે ઓલવાઈ
આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો, કારણ કે તે વ્હીલ અને શીતકને નુકસાન પહોંચાડી શકે છે.આથી ફાયર બ્રિગેડની ટીમે અિશામક સિલિન્ડરનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી.પહેલા બહારથી આગને કાબૂમાં લેવામાં આવી હતી અને પછી ચક્રની અંદર જઈને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.ઘટના બાદ તમામ મુસાફરોને ડબ્બામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મુસાફરોમાંથી કોઈને ઈજા થઈ નથી.
ત્રણ કલાક સુધી ટ્રેક પર તમામ ટ્રેનની અવરજવર ખોરવાઈ
આ ઘટનાને કારણે ત્રણ કલાક સુધી ટ્રેક પર ટ્રેનની અવરજવર ખોરવાઈ ગઈ હતી. આગથી અસરગ્રસ્ત બોગીને ડુમરાવ સ્ટેશન પર જ અલગ રાખવામાં આવી હતી. બાકીની ટ્રેનને બાંદ્રા મોકલવામાં આવી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આગ લાગવા પાછળ ટેકનિકલ ખામી હોવાની આશંકા છે. અસરગ્રસ્ત બોગીને અલગ કરી ટ્રેનને સુરક્ષિત રીતે રવાના કરવામાં આવી હતી. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે હાલમાં રેલવે અધિકારીઓએ તપાસ શ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech