સોલાર અને જનરેટર ખાખ: ફાયર ટીમની જહેમત: વ્યાપક દોડધામ
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તારમાં ગતરાત્રે એક આસામીના ટેરેસ પરની સોલાર પેનલમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં આવેલા પોસ રહેણાંક વિસ્તાર રામનાથ સોસાયટીમાં ગરબી ચોક વિસ્તારમાં રહેતા ભરતભાઈ ચંદુભાઈ પંચમતીયાના રહેણાંક મકાનમાં બીજા માળે ફીટ કરવામાં આવેલી સોલાર પેનલમાં કોઈ કારણોસર એકાએક આગ લાગી હતી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને ધુમાડાના ગોટા સાથે આગની જવાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી.
આ બનાવ અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર વિભાગના મનસુખભાઈ મારુ, બ્રિજરાજસિંહ સરવૈયા તથા સુખદેવસિંહ વાઢેરની ટીમએ ફાયર ફાઈટર સાથે દોડી જઈને લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને આગ પર વધુ પ્રસરતા અટકી હતી.
આ આગમાં ઘર પરની સોલાર પેનલ તેમજ જનરેટર સેટ બળીને ખાખ થઈ જતા મકાન માલિકને વ્યાપક નુકસાની થવા પામી હતી. આ બનાવના પગલે નજીકના રહીશોમાં થોડોક સમય ભયનો માહોલ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: બોર્ડનું પરિણામ વઘ્યું, એન્જીનીયરીંગમાં ૨થી૫ ટકા મેરીટ ઉંચુ રહેશે
May 15, 2025 12:36 PMકર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ નિવેદન બદલ મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR
May 15, 2025 12:35 PMરાજકોટ : આગામી 17 તારીખે મેવાસા ખાતે યોજાશે સેવાસેતુ કાર્યક્રમ
May 15, 2025 12:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech