ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં ફરી એકવાર આગની ઘટના બની છે. શનિવારે સેક્ટર 18 અને 19 વચ્ચેના અનેક પંડાલોમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગમાં અનેક પંડાલો બળીને ખાખ થઈ ગયા હતા.
કોઈ જાનહાનિ નહીં
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે અને ઘટનાસ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ પણ બની હતી આગની ઘટના
મળતી માહિતી મુજબ આ પહેલા પણ 9 ફેબ્રુઆરીએ મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગી હતી. તે સમયે પણ ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. તે આગનું કારણ ગેસ સિલિન્ડર લીકેજ હોવાનું સામે આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધો.1થી 5 માટે 27મીએ અને ધો.6થી 8 માટે 28મીએ શિક્ષકોના બદલી કેમ્પ યોજાશે
February 19, 2025 11:28 AMખંભાળિયામાં રવિવારે સેવાકુંજ હવેલીના ઉપક્રમે રસીયાની રમઝટ
February 19, 2025 11:24 AMરાજકોટ યાર્ડમાં જીરૂની આવક બમણી; ભાવમાં 400નો વધારો
February 19, 2025 11:23 AMમીઠાપુરમાં બે સ્થળોએ જુગાર દરોડામાં પાંચ મહિલાઓ સહિત સાત ઝડપાયા
February 19, 2025 11:22 AMસુરેન્દ્રનગરમાં એસએમસી ત્રાટકી ઘરમાંથી 1051 બોટલ દારૂ મળ્યો
February 19, 2025 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech