આખરે કોડીનાર તાલુકાને નવી ૭ એસટી બસની ફાળવણી

  • March 26, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી એસટી વિભાગ દ્વારા સતતપણે અન્યાયનો ભોગ બનતા કોડીનાર તાલુકાને લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના થોડા કલાકો પુર્વે સાત નવી બસોની ફાળવણી કરવામાં આવતા કોડીનાર તાલુકાની જનતાની મુસાફરી થોડી સુખદાયક બની છે. તાલુકા પત્રકારો તથા તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા કોડીનાર તાલુકાને અમરેલી એસટી વિભાગ દ્વારા માત્રને માત્ર જુની બસોની સતતપણે ફાળવણી કરાતી હોવાની વાતને તાલુકાના ધારાસભ્યથી માડી વાહનવ્યવહાર મંત્રી સુધી રજુઆતો કરવામાં આવી હતી. ત્યારે કોડીનાર તાલુકાને આખરે સાત નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. આ બસો કોડીનારથી કૃષ્ણનગર જામનગર, વડોદરા દિવ-રાજકોટ રૂટ ઊપર ફાળવણી કરવામાં આવી છે. ત્યારે કોડીનાર-વડોદરા સાંજની બસને બે કલાક મોડી ઊપાડી સ્લિપર કોચ વાહનની ફાળવણી કરવાની વાત પર કોઈ ધ્યાન અપાયું નથી. 

જ્યારે બીજી તરફ છેલ્લા છ મહિનામા જ શરૂ  થયેલ વડીયા-સુરતમા સ્લિપર કોચ વાહનની ફાળવણી કરવામાં આવી છે. આ ઊપરાત  હજુ છ મહીના પહેલાં જ અમરેલી-નાસિક રૂટમાં નવું વાહન ફાળવેલ હોવા છતાં એ રૂટમાં સ્લીપર કોચ વાહન ફાળવી દેવામાં આવ્યું છે. 

વડીયા કે અમરેલી વિસ્તારની સુવિધા વધે તેમા કોડીનાર તાલુકાની જનતા ખુશ જ છે. પરંતુ કોડીનારની માગણીઓ કચરાપેટીમાં તથા અન્ય તાલુકાને માગે એટલે તરત સુવિધા એવું ન હોવું જોઈએ. કોડીનારથી વડોદરા રૂટમા વહેલી તકે સ્લિપર કોચ તથા કોડીનારથી ઓખા, જખૌ, અંબાજી, તથા છોટાઉદેપુરની વરસો જુની માગણી વહેલી તકે પૂરી કરે તથા કોડીનાર પંથકના તમામ બંધ રૂટો વહેલી તકે શરૂ  થાય તેવી અપેક્ષા તાલુકાની જનતા રાખી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application