વાંકાનેર વિસ્તારમાં પીજીવીસીએલના વિવિધ પ્રશ્ર્નો બાબતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત

  • July 24, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર શહેર અને તાલુકાના નાગરીકો તથા ખેડૂતોને પીજીવીસીએલ તરફથી પડતી વિવિધ વિજ સમસ્યા બાબતે વાંકાનેર કોંગ્રેસની ટીમ દ્વારા પીજીવીસીએલની વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરને લેખીતમાં તમામ સમસ્યાના તાત્કાલીક નિકાલ કરવા ઉગ્ર અને આક્રમક રજુઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. 


આ તકે કોંગ્રેસ દ્વારા વાંકાનેર વિસ્તારના પીજીવીસીએલ તરફથી ઢીલી પ્રિમોન્સુન કામગીરી, કર્મચારીઓની ઓછી સંખ્યા, ફોલ્ટ રીપેરીંગમાં કચાસ, મોડા કનેકશન આપવા, ખેડૂતોને વિજ જોડાણ આપવા આનાકાની, સુર્યોદય યોજના, ખેડૂતોને દિવસે વિજળી આપવી, રીપેરીંગ સ્ટાફની ઉણપ, ફરિયાદ માટે ફોન રીસીવ ન કરવા સહિતની સમસ્યાઓ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ તકે કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા, ગુલામ પરાસરા, હરદેવસિંહ જાડેજા, કરશન લુંભાણી, ઈસ્માઈલ બાદી, જશુ ગોહીલ, આબીદ ગઢવાળા, ફા‚ક કડીવાર, ડો. રુકમુદીન માથકીયા, એહમદ માથકીયા, ગિરીરાજસિંહ ઝાલા, ઉસ્માન માથકીયા, ઉસ્માન મરડીયા, હનીફ શેરસીયા, હુસેન શેરસીયા સહિતના હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application