સાવરકુંડલા અને લાઠીમાં બે યુવકએ આપઘાત કરી લીધો હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે, સાવરકુંડલામાં આર્થિક સંકડામણથી અને લાઠીના પીપળવા ગામે પુત્રને ખિજાયા બાદ મનમાં લાગી આવતા પિતાએ ઝેરી દવા પી લેતા મોત થયું છે.
પ્રા વિગત મુજબ સાવરકુંડલાની ચંદ્રમોલી સોસાયટીમાં રહેતા સુભાષભાઈ ઠાકરશીભાઈ અમરેલીયા (ઉ.વ.૪૨) નામના યુવાનએ ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે મમા પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો લેતા બેભાન હાલતમાં મોત થયું હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકએ આર્થિક સંકડામણથી પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બીજા બનાવમાં મુળ જાનબાઈ દેરડી ગામના અને હાલ પીપળવા ગામે મધુભાઈ ભંડેરીની વાડી વાવતા અશોકભાઈ હિંમતભાઈ વણોદીયા (ઉ.વ.૩૫) નામના યુવક બપોરે વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતા દમ તોડી દેતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો. બનાવની જાણ લાઠી પોલીસને કરવામાં આવતા પોલીસે જરી કાર્યવાહી કરી હતી. મૃતકનો પુત્ર સાગર અવાર નવાર બહાર જતો રહેતો હોઈ આ બાબતે તેને પિતા અશોકભાઈએ ઠપકો આપ્યો હોઈ આથી પોતાને દીકરાને ખિજાયા હોવાનું મનમાં લાગી આવતા પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
અમરેલીમાં પરિણીતાએ ફિનાઈલ પીધું
અમરેલીમાં મીની કસબાની બાજુમાં જીવાપરા શેરી નં.૦૨માં રહેતી સાહિનબેન સરફરાજ ભાઈ હમદાન (ઉં.વ.૨૧) નામની પરિણીતાએ બપોરે બારેક વાગ્યે ઘરે ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ અમરેલી સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધવાની કાર્યવાહી કરી હતી. પરિણીતા બપોરના સમયે પોતાના માતાની ઘરે ગઈ હતી અને ત્યાંથી આવતા પતિએ કહ્યું હતું કે, તારે હવે કયાંય જવું હોય તો મને પૂછીને જવાનું જે વાતથી દંપતી વચ્ચે બોલાચાલી થતા આવેશમાં આવી ફિનાઈલ પી લીધું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech