જામનગર તાલુકાના જીવાપર ગામમાં નવ વર્ષ પહેલા એક યુવાનની હત્યા નીપજવાઈ હતી. જે કેસમાં આરોપી પિતા અને તેના બે પુત્રને અદાલતે આજીવન કેદની સજાનો કર્યો છે.
જામનગર તાલુકાના જીવાપર ગામમાં ગત તારીખ ૯/૯/૧૪ ના રોજ મિતેશ માધાભાઈ કંટારીયા નામના દલિત યુવાન ની પાઇપ વડે હુમલો તથા ને છરી ના ઘા મારી ને હત્યા નિપજવાઇ હતી. આ અંગે મૃતક મિતેશ ના પિતા માધાભાઈ ટપુભાઈ કંટારીયા એ આરોપી આરીફ ઉર્ફે અસલો મામદ તેના ભાઈ સિરાજ મામદ અને પિતા મામદ વાલજીભાઈ સામે પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી.,પોલીસે હત્યા નો ગુનો નોંધી ત્રણેય આરોપીઓ ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
આ અંગેનો કેસ ચાલી જતા ફરીયાદ પક્ષ દ્વારા ૨૬ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે ૨૯ જેટલા સાહેદો ને તપાસવામાં આવ્યા હતા. બંને પક્ષના વકીલોની વિસ્તૃત દલીલો સાંભળીને એડિશનલ સેશન્સ જજ શ્રી એ. આર. વ્યાસે ત્રણેય આરોપીઓ ને આજીવન કેદની સજા અને ૫૦૦૦ નો દંડ અને દંડ ની રકમ ના ભરે તો વધુ સાત દિવસ ની સજા નો આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટેર ધર્મેન્દ્ર જીવરાજાની અને મૂળ ફરિયાદી તરફે વકીલ કિરણભાઈ બગડા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાર્યસ્થળ પર આ રીતે સીમાઓ નક્કી કરો જેથી પ્રોફેસનલ લાઈફ અને પર્શનલ લાઈફ સરળ રહે
August 19, 2024 06:22 PMમુંબઈમાં પુજારીઓ પર છરી અને લાકડીઓ વડે ટોળાએ કર્યો હુમલો, બે પૂજારી ઘાયલ
August 19, 2024 06:19 PMશું તમારા બાળકની દ્રષ્ટિ નબળી પડી ગઈ છે? જાણો આ લક્ષણો
August 19, 2024 06:16 PMગૌતમ અદાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી માટે યોજાયેલી પ્રાર્થના શોકસભામાં હાજરી આપી
August 19, 2024 06:16 PMબગસરા : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવીતનું આયોજન
August 19, 2024 06:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech