જીવાપરમા નવ વર્ષ પહેલાની હત્યા કેસમા પિતા અને બે પુત્રને આજીવન કેદની સજા

  • September 16, 2023 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના જીવાપર ગામમાં નવ વર્ષ પહેલા એક યુવાનની હત્યા નીપજવાઈ હતી. જે કેસમાં આરોપી પિતા અને તેના બે પુત્રને અદાલતે આજીવન કેદની સજાનો કર્યો છે.


જામનગર તાલુકાના જીવાપર ગામમાં ગત તારીખ ૯/૯/૧૪  ના રોજ મિતેશ માધાભાઈ કંટારીયા નામના દલિત યુવાન ની પાઇપ વડે હુમલો તથા  ને છરી ના ઘા મારી ને હત્યા નિપજવાઇ હતી. આ અંગે મૃતક  મિતેશ ના પિતા માધાભાઈ ટપુભાઈ કંટારીયા એ આરોપી આરીફ ઉર્ફે અસલો મામદ તેના ભાઈ સિરાજ મામદ અને પિતા મામદ વાલજીભાઈ સામે પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી.,પોલીસે હત્યા નો ગુનો નોંધી ત્રણેય આરોપીઓ ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.


આ અંગેનો કેસ ચાલી જતા ફરીયાદ પક્ષ દ્વારા ૨૬ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ  કરવામાં આવ્યા હતા જ્યારે ૨૯  જેટલા સાહેદો ને  તપાસવામાં આવ્યા હતા. બંને પક્ષના વકીલોની વિસ્તૃત  દલીલો સાંભળીને એડિશનલ સેશન્સ જજ શ્રી એ. આર. વ્યાસે  ત્રણેય આરોપીઓ ને આજીવન કેદની સજા અને ૫૦૦૦ નો  દંડ અને દંડ  ની રકમ ના ભરે તો વધુ સાત દિવસ ની સજા નો  આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટેર  ધર્મેન્દ્ર જીવરાજાની અને મૂળ ફરિયાદી તરફે વકીલ કિરણભાઈ બગડા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application