ઓખામાં પરપ્રાંતિય આધેડને હૃદયરોગનો જીવલેણ હુમલો

  • August 05, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુંના વતની રમેશભાઈ સોમાન્યાભાઈ વરખંડે નામના 52 વર્ષના મરાઠી આધેડને હૃદયરોગનો જીવલેણ હૂમલો આવી જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ પરવેશભાઈ પરશુભાઈ ઠાકરેએ ઓખા મરીન પોલીસને કરી છે.


મીઠાપુર નજીક જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મીઠાપુરથી 14 કિલોમીટર દૂર હમુસર ગામેથી રવિવારે સાંજના સમયે પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા ડુંગરભા શુક્લભા માણેક, ભીખાભા ખેતાભા ભગાડ, તેજાભા સાજાભા સુમણીયા અને સુમરાભા મિયાભા માણેકને ઝડપી લઈ, કુલ રૂપિયા 11,650 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


દરિયામાં માછીમારી કરતા ત્રણ શખ્સો સામે કાર્યવાહી

ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના બંદર પાસે ફિશીંગ બોટ મારફતે માછીમારી કરીને જાહેરનામાનો ભંગ કરવા સબબ સલાયાના સલીમ જુનાસ ગજણ (ઉ.વ. 38), બિલાલ મામદ જસરાયા (ઉ.વ. 29) અને હારુન આદમ જસરાયા (ઉ.વ. 34) નામના ત્રણ શખ્સોને એસ ઓ.જી. પોલીસે ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application