આસામમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત: ૧૪ લોકોના મોત, ૨૭ ઘાયલ

  • January 03, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આસામના ગોલાઘાટ જિલ્લામાં વહેલી સવારે એક બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો જેમાં લગભગ ૧૪ લોકોના મોત થયાના અહેવાલ છે યારે ૨૭ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ અકસ્માતની ઘટના ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ પાસે નેશનલ હાઈવે ૩૭ પર બાલીજાન ગામ નજીક બની છે યાં બસમાં સવાર ૪૫ લોકો બોગીબીલ વનભોજન માટે વહેલી સવારે અંદાજે ૫ વાગ્યે નીકળ્યા હતા ત્યારે માર્ગેરિટા તરફથી આવતા કોલસા ભરેલા ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી.
બસ ડેસ્ટીનેશન પર પહોંચવાના થોડા સમય પહેલા જ અકસ્માતનો ભોગ બની હતી. માર્ગેરિટા તરફથી કોલસા ભરેલી ટ્રક આવી રહી હતી. ત્યારબાદ બંને વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી.પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ૧૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
તમામ ઘાયલોને જોરહાટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે તમામ ઘાયલોની હાલત ગંભીર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application