જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વિપુલ પ્રમાણમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર રાજકોટ, અમરેલી સહિતના જિલ્લ ાઓમાંથી ખેડૂતો જણસીઓને વેચવા આવે છે ત્યારે તેઓને ભોજન મળી રહે તે માટે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેવલભાઈ ચોવટીયા, વાઇસ ચેરમેન પ્રવીણભાઈ સોજીત્રા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા ખેડૂતોને સબસીડીમાંથી ભોજન મળી રહે તે માટે ખેડૂત સહાય યોજના કાર્યરત કરવામાં આવી છે.આ યોજના હેઠળ ખેડૂતોને માત્ર ૩૦ રૂપિયામાં માર્કેટિંગ યાર્ડમાં જ ભોજન મળી રહેશે. બજાર સમિતિ અને વેપારી મિત્રોના પ્રયાસથી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવાયો હોવાનું સેક્રેટરી દિવ્યેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું. ખેડૂતલક્ષી નિર્ણયથી યાર્ડના હોદ્દેદારોની સરાહના કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહેમા માલિનીની પુરી જગન્નાથ મંદિર મુલાકાત સામે વિવાદ
March 18, 2025 11:27 AMજામનગરના દરેડ કારખાનામાં થયેલી પાંચ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
March 18, 2025 11:27 AMજામનગરમાં 25 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 34.4 ડીગ્રી
March 18, 2025 11:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech