ડુંગળી મામલે પાલીતાણામાં ખેડૂતોનો ચક્કજામ

  • January 02, 2024 05:13 PM 

ભાવનગર જિલ્લાના એક પછી એક તાલુકામાં ડુંગળી મુદ્દે વિરોધનો વંટોલ ઉભો થઇ રહ્યો છે. જિલ્લામાં ડુંગળીના ઉત્પાદન સામે નિકાસબંધીને લઇ ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે વિરોધનો વંટોળ હવે પાલીતાણા તાલુકામાં પણ પહોંચ્યો હતો. પાલીતાણાના ખેડૂતોએ ડુંગળી મુદ્દે ભૈરવચોક ખાતે ડુંગલીના હાર પહેરી ચક્કજામ કરાતા પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરી હતી.


દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે સૌથી મોખરે ગુજરાત અને તેમાં પણ ભાવનગર જિલ્લાનું નામ આવે છે. આ વર્ષે ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, સિહોર અને પાલીતાણા સહિતના તાલુકાઓમાં ડુંગળીનું મબલખ પ્રમાણમાં વાવેતર થયું હતું. જોકે વરસાદ, વાવાઝોડા અને માવઠાને લઇ ખેડૂતોને જોઈએ તેટલું ઉત્પાદન થયું નહી. ત્યારે ડુંગલીનું ઉત્પાદન ઓછું થવા સાથે ડુંગલીના ભાવ પણ ગગડી ગયા હતા. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા ડુંગળીની નિકાસ.પર પ્રતિબંધ મુકવામાં.આવ્યો હતો. જેને પગલે જિલ્લમાં મહુવા, સિહોર બાદ હવે પાલીતાણામાં પણ ખેડૂતો દ્વારા વિરોધ કરાયો હતો. ખેડૂતોને ડુંગળીના ભાવ તળિયે આવી જતા જેને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ડુંગળી પર નિકાસ બંધી હટાવા ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરાઈ હતી. પાલીતાણાના ભૈરવનાથ ચોક ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરાયું હતું. પાલીતાણા શહેરના મુખ્ય રસ્તાઓ ખેડૂતો દ્વારા બંધ કરાવી ચક્કજામ કરી વિરોધ કરાયો હતો. શહેરના ભૈરવનાથ ચોક ખાતે ચક્કાજામનો કરાતા થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના નેજા હેઠળ ડુંગળીને લઈને આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરાયો હતો. ડુંગળીના હાર પહેરી ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી અને રસ્તો ખુલ્લો કરાયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application