ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાં ટીમાણા ગામનાં એક ખેડૂત છેલ્લાં આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી દ્વારા શેરડી ઉગાડી તેમાથી ગોળ બનાવી તેવો દેશી ગોળ,કણી વાળો ગોળ વેચી મબલક આવક મેળવી રહ્યા છે.
ટીમાણા ગામનાં ખેડૂત કનુભાઈ ભટ્ટ આઠ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટ અને બાગાયતી સેમિનાર દ્વારા પ્રાકૃતિક ખેતીથી માહિતગાર થયા હતા. ત્યારબાદ તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે.ગાય આધારિત ખેતીમાં તેઓ ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત,બીજામૃત અને પંચામૃત બનાવીને છંટકાવ કરે છે,જેનાં કારણે ઉત્પાદન પણ સારું મળે છે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે.આ ઉપરાંત બાગાયત ખાતાના અધિકારીઓ,આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની સમસ્યાનું નિવારણ લાવે છે.
આ ઉપરાંત આઠ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ તેમનાં પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન થકી તેઓ પણ લાખેણી આવક મેળવતા થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડઃ હાથલામાં શનિ મંદિર સંકુલનો રૂા. ૭.૧૦ કરોડના ખર્ચે થશે વિકાસ
May 17, 2025 12:01 PMહડીયાણાના પટેલ વેપારીનો ત્રણ ચેક રીર્ટન કેસમાં નિદોર્ષ છુટકારો
May 17, 2025 11:56 AMઅનધિકૃત રીતે ખનીજ ચોરીના પ્રકરણમાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા
May 17, 2025 11:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech