રણુજામાં ખેડૂત બુઝુર્ગ પર પાણીના નિકાલના પ્રશ્ને પથ્થર વડે હુમલો

  • June 15, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માથું ફૂટ્યું: બે સામે ફરિયાદ


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં પાણીના નિકાલ માટેનું નાલું સાફ કરવા બાબતે તકરાર થયા પછી એક ખેડૂત બુઝુર્ગ પર પથ્થર વડે હુમલો કરી માથામાં ઇજા પહોંચાડતાં પાંચ ટાંકા લેવા પડ્યા છે. જે મામલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે.


કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મોહનભાઈ નાનજીભાઈ ભંડેરી નામના ૭૦ વર્ષના ખેડૂત બુઝુર્ગે પોતાના માથામાં પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે જીવરાજ ઉર્ફે બાબુભાઈ કરમશીભાઈ સખીયા, અને ધર્મેશ જીવરાજભાઈ ઉર્ફે બાબુભાઈ કરમશીભાઈ સખીયા સામે ફરિયાદ નોંધાવી છે. જયારે તેને માથામાં ઇજા થવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને માથામાં પાંચ ટાંકા આવ્યા છે.

ફરિયાદી પાણીનુંનાલૂ સાફ કરી રહ્યા હતા, જે દરમિયાન બંને આરોપીઓએ આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application