એમડીએચ–એવરેસ્ટ સહિત તમામ બ્રાન્ડના મસાલાની તપાસ કરશે એફએસએસએઆઈ

  • April 23, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિંગાપોર અને હોંગકોંગમાં એમડીએચ અને એવરેસ્ટના કેટલાક મસાલા પર પ્રતિબધં મૂકયા બાદ હવે ભારતનું ફડ સેટી રેગ્યુલેટર પણ એકશન મોડમાં આવી ગયું છે. ફૂડ  સેટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ પરીક્ષણ હેતુઓ માટે દેશભરમાંથી એમડીએચ અને એવરેસ્ટ સહિત પાવડર સ્વપમાં તમામ બ્રાન્ડના મસાલાના નમૂના લેવાનું શરૂ કયુ છે.

એક સરકારી સુત્રએ જણાવ્યું હતું કે વર્તમાન વિકાસને ધ્યાનમાં રાખીને, એફએસએસએઆઈ બજારમાંથી એમડીએચ અને એવરેસ્ટ સહિત તમામ બ્રાન્ડના મસાલાના નમૂના લઈ રહી છે એફએસએસએઆઈ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ, નિકાસ કરાયેલા મસાલાની ગુણવત્તાને નિયંત્રિત કરતું નથી પરંતુ સ્થાનિક બજારમાં વેચવામાં આવતા ઉત્પાદનની ગુણવત્તા તપાસવા માટે નિયમિતપણે બજારમાંથી મસાલાના નમૂના એકત્રિત કરે છે. દરમિયાન ભારતીય મસાલા બોર્ડ પણ સક્રિય બન્યું છે.

બોર્ડ એમડીએચ અને એવરેસ્ટ દ્રારા ચાર મસાલા–મિકસ વસ્તુઓના વેચાણ પર હોંગકોંગ અને સિંગાપોરમાં લાદવામાં આવેલા પ્રતિબંધની તપાસ કરી રહ્યું છે.એમડીએચ નો મદ્રાસ કરી પાવડર (મદ્રાસ કરી માટે મસાલા મિકસ), એવરેસ્ટ ફિશ કરી મસાલા, એમડીએચ સાંબર મિકસ મસાલા અને એમડીએચ કરી મસાલાની ગુણવત્તા પર હાલ પ્રશ્નો ઉભા થયા છે. હોંગકોંગના ફડ રેગ્યુલેટરે દાવો કર્યેા હતો કે આ ઉત્પાદનોમાં ઈથિલિન ઓકસાઈડનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું હતું

કેન્સર જેવી જીવલેણ બીમારીનો ખતરો
ઇથિલિન ઓકસાઈડની વધુ માત્રાને કારણે કેન્સર જેવી જીવલેણ બીમારીનો ખતરો રહે છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર એ ઈથિલિન ઓકસાઇડને'ગ્રુપ–૧ કાર્સિનોજેન' તરીકે વર્ગીકૃત કયુ છે. આનો અર્થ એ છે કે તે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application