ભાટીયાના તબીબને એકસેલન્સ એવોર્ડ ઇન સાઇકીસ્ટ્રી

  • January 02, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાટીયાના સેવાભાવી સ્વ. મોહનભાઇ પાબારીના પૌત્ર ડો. રવિ એન. પાબારી જામનગરમાં પાબારી ન્યુરો સાઇકીટ્રી હોસ્પિટલ અને ડિ-એડીકશન સેન્ટર ધરાવતા માનસિક રોગના નિષ્ણાંત ડો. રવિની તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ ગ્લોબલ હેલ્થકેર વેલનેસ એવોર્ડઝ એન્ડ કોન્ફરન્સ-૨૦૨૩ માં એકસેલન્સ એવોર્ડ ઇન સાઇકિઆટ્રી એવોર્ડ માટે પસંદગી થયેલ.
આ એવોર્ડ પુરા ભારત દેશમાંથી ત્રણ અને ગુજરાતમાંથી એક માનસિક રોગના નિષ્ણાંત સાઇકિઆટ્રીની પસંદગી થયેલ અને તેઓનું દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં મોમેન્ટો અને સર્ટીફીકેટ આપી સન્માન થયેલ છે, ડો. રવિ એન. પાબારીએ આ પહેલા પણ ડી.પી.એમ. પરીક્ષામાં પુરા મહારાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઇ ગોલ્ડ મેડલ મેળવવાની સિઘ્ધિ હાંસલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application