સૌરાષ્ટ્ર્રનો સૌથી મોટો લોકમેળો ગણાતા રાજકોટના મેળાને આ વખતે કોઈને કોઈ ગ્રહણ લાગી રહ્યું હોય તેમ મેળાની કામગીરી ચકડોળે ચડી છે. મેળામાં નાના સ્ટોલના ડ્રો થઈ ગયા પરંતુ છેલ્લ ા ત્રણ દિવસથી આઈસ્ક્રીમ અને મોટી રાઈડસના પ્લોટની હરાજી થઈ શકતી નથી. નિયમોને લઈને તત્રં અને ધંધાર્થીઓ વચ્ચે કોકડું ગુંચવાયેલું છે. આજે સાંજે કલેકટર અને ઉચ્ચ અધિકારીઓની મળનારી બેઠકમાં કોઈ વચલો રસ્તો નીકળે તેવી સંભાવના છે. જો બન્ને પક્ષે હકારાત્મક વલણ રહેશે તો આવતીકાલે સ્ટોલ–પ્લોટની હરાજી શકય બનશે.
રાજકોટમાં અિકાંડની દુર્ઘટનાને લઈને આ વખતે ૨૫ વર્ષથી યોજાતા રાજકોટના લોકમેળામાં સલામતી તરફે વધુ ધ્યાન દેવાયું છે અને રાઈડસ માટે નિયમો કડક બનાવાયા છે. આવી જ રીતે આઈસ્ક્રીમ અને અન્ય ખાણીપીણીના મોટા સ્ટોલ માટે એડવાન્સ જીએસટી ભરવા માટેનો નિયમ મુકાયો છે જેને લઈને રાઈડસ ધારકો સાથે ખાણીપીણીના સ્ટોલ માટે અરજી કરનારાઓમાં પણ નારાજગી છે. જેથી આ હરાજી પણ થઈ નથી. રાઈડસ માટે ફાઉન્ડેશન, ઈજનેરની ચકાસણી, પ્રમાણપત્રો સહિતના નિયમો મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત એક પ્લોટમાં એક રાઈડસ રાખવાનું પણ આ વખતે જાહેર કરાયું છે.
રાઈડસ ધારકો ફાઉન્ડેશન, સર્ટીફીકેટ તથા એક પ્લોટમાં એક રાઈડ રાખવાના નિયમથી નારાજ તો છે સાથોસાથ આવડો મોટો ખર્ચ કરે તો પણ રાઈડસનો ભાવમાં કોઈ વધારો નથી જાહેર કરાયોે જેને લઈને ડબલ ખોટ પડશે તેમ માનીને રાઈડસના પ્લોટ માટેની હરાજીમાં કોઈ રસ દાખવ્યો નથી. નિયમ હળવા કરવા માટેની માગણી દોહરાવાઈ છે. આખરી નિર્ણય કલેકટરના હાથમાં હોવાથી ગઈકાલે પણ રાઈડસ ધારકોએ કલેકટર તંત્રમાં એ જુની જ રજુઆત અને માગણી દોહરાવી હતી અને જો નિયમમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો મેળામાં રાઈડસ મુકશે નહીં તેવી વાત પર અડગ રહ્યા છે. આજે કલેકટર અને અન્ય મેળાના આયોજન સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓની સાથે સાંજે બેઠક મળશે. આ બેઠકમાં નિયમ હળવા થશે કે નહીં ? તે નિર્ણય લેવાય તેવી સંભાવના દેખાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech