સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપતા કહ્યું હતું કે સેવામાં ખામી માટે વકીલો પર ગ્રાહક અદાલતમાં કેસ કરી શકાય નહીં. વકીલો ગ્રાહક સુરક્ષા કાયદાના દાયરામાં આવતા નથી. આ સાથે, સર્વેાચ્ચ અદાલતે ઉપભોકતા પંચના ૨૦૦૭ના નિર્ણયને રદ કર્યેા, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો વકીલો ગ્રાહકના અધિકારોને ધ્યાનમાં રાખીને યોગ્ય સેવા પૂરી પાડતા નથી, તો તેમને ગ્રાહક અદાલતમાં લાવી શકાય છે. કોર્ટે કહ્યું કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન વિ. વી.પી. શાંતા કેસમાં તેના ૧૯૯૫ના ચુકાદા પર પુનર્વિચાર કરવાની પણ જર છે, જેમાં ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ડોકટરોને આવરી લેવામાં આવ્યા હતા.
સીજેઆઇને આ મામલો મોટી બેંચને સોંપવાની વિનંતી કરવામાં આવી છે. ન્યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદી અને પંકજ મિત્તલની બેન્ચે એક અપીલ પર ચુકાદો આપ્યો હતો જેમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું વકીલોને સેવાઓમાં ખામી માટે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ જવાબદાર ગણી શકાય. સુનાવણી બાદ બેન્ચે ૨૬ ફેબ્રુઆરીના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચુકાદામાં બેન્ચે કહ્યું હતું કે વકીલો દ્રારા આપવામાં આવતી સેવા અલગ પ્રકારની હોય છે. તેમને ગ્રાહક સુરક્ષા કાયદાથી દૂર રાખવા જોઈએ. કન્યુમર કમિશનના ૨૦૦૭ના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે વકીલોની સેવાઓ પણ કલમ ૨(૧) હેઠળ આવે છે, તેથી તેઓ ગ્રાહક કોર્ટમાં દાવો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ ૨૦૦૯માં આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી.
કન્યુમર પ્રોટેકશન એકટ ૧૯૮૬નો મૂળ ઉદ્દેશ્ય અને ધ્યેય ઉપભોકતાને અયોગ્ય વેપાર પ્રથાઓ અને અનૈતિક વ્યાપારી પ્રથાઓથી રક્ષણ પૂં પાડવાનો હતો. એવું કહી શકાય નહીં કે ધારાસભાનો હેતુ કોઈપણ વ્યવસાય અથવા વ્યાવસાયિકને કાયદાના દાયરામાં લાવવાનો હતો. સમાધાન એ વકીલ અને કલાયન્ટ વચ્ચે ખાનગી કરારની સેવાનો એક પ્રકાર છે. જો આ સેવામાં કોઈ ખામી હોય તો વકીલને ગ્રાહક અદાલતમાં ખેંચી ન શકાય.
કેસના પરિણામ માટે વકીલોને જવાબદાર ન ઠેરવી શકાય
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ દેશમાં લગભગ ૧૩ લાખ વકીલો છે. કન્યુમર કમિશનના નિર્ણય સામે અનેક વકીલ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેણે કહ્યું કે તેને પોતાનું કામ કરવા માટે સુરક્ષા અને સ્વતંત્રતાની જર છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટસ ઓન રેકોડર્સ એસોસિએશને કહ્યું કે કાનૂની સેવાઓ કોઈપણ વકીલના નિયંત્રણ હેઠળ નથી. વકીલોએ નિયત માળખામાં કામ કરવાનું હોય છે. નિર્ણય પણ વકીલોના નિયંત્રણમાં નથી. આવી સ્થિતિમાં કેસના પરિણામ માટે વકીલોને જવાબદાર ઠેરવી શકાય નહીં
અનિયમિતતા પર કોર્ટમાં કેસ દાખલ કરી શકાય
ફી ભરીને કોઈપણ કામ કરાવવાને ગ્રાહક સુરક્ષા કાયદાની સેવાના દાયરામાં રાખી શકાય નહીં. જો વકીલો અનિયમિતતા કરે છે તો તેમની સામે સામાન્ય કોર્ટમાં કાર્યવાહી થઈ શકે છે. વ્યવસાયિકો સાથે કોઈપણ વેપારી, વેપારી, ઉત્પાદનો અથવા માલના સેવા પ્રદાતા જેવો વ્યવહાર કરવો જોઈએ નહીં. વ્યવસાય માટે અધતન શિક્ષણ અને તાલીમની જર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech