જો એન્જિન ફેલ થઇ જશે તો પણ ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે, જાણો કઈ રીતે

  • August 09, 2023 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડ કરવામાં સક્ષમ હશે, પછી ભલે તેના તમામ સેન્સર અને બંને એન્જિન નિષ્ફળ જાય. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ એસ. સોમનાથે મંગળવારે આ વાત કહી હતી.



ચંદ્રયાન-3 ભારતના ગૌરવ અવકાશ મિશન વિષય પરની વાતચીત દરમિયાન, સોમનાથે જણાવ્યું હતું કે લેન્ડર ‘વિક્રમ’ની સંપૂર્ણ ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે તે નિષ્ફળતાને નિયંત્રિત કરવામાં સક્ષમ હશે.


સોમનાથે કહ્યું કે જો બધું નિષ્ફળ જાય તેમજ જો બધા સેન્સર નિષ્ફળ થઇ જાય તેમજ કોઈ વસ્તું કામ ન કરે, તો પણ વિક્રમ ઉતરશે. પ્રોપલ્શન સિસ્ટમ સારી રીતે કામ કરે તે રીતે તેને રીતે ડિઝાઈન કરવામાં આવી છે. જ્યારે લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ જશે ત્યારે તેને ચંદ્ર પર સુરક્ષિત રીતે ઉતરવા માટે વર્ટિકલ રીતે લાવવામાં આવશે. જે મહત્વપૂર્ણ છે, કારણ કે અગાઉ ચંદ્રયાન-2 મિશન દરમિયાન, ISRO તેના લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારવામાં સફળ રહ્યું ન હતું. સોમનાથે કહ્યું કે આડીથી ઊભી દિશામાં સ્થાનાંતરિત કરવાની ક્ષમતા એ એક પ્લાન છે જેને આપણે બરાબર રાખવાનો છે, છેલ્લી વખત માત્ર આ સમસ્યા આવી અને મિશન નિષ્ફળ ગયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application